ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અનેકવાર વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની બંધ બારણે બેઠકો પણ યોજાઈ છે. નરેશ પટેલ રાજકારણની શરૂઆત કરશે કે કેમ તે અંગે અટકળો તેજ થઇ છે. બીજી તરફ ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેના પગલે ગુજરાતના રાજકીય વાતાવરણમાં તેની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ ગુજરાતમાં પાટીદાર આગેવાનોમાં મોટું નામ ધરાવતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે તેવી ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. આ વચ્ચે હવે પાટીદાર અગ્રણી પોપટ ફતેપરા નરેશ પટેલના વિરોધમાં આવ્યા છે.
પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ નરેશ પટેલનો વિરોધ કર્યો
પાટીદાર અગ્રણી પોપટ ફતેપરા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે ઉમિયા માતાજી મંદિર સિંદસર , ઊંઝાને પત્ર લખીના સંચાલકોએ જણાવ્યું કે, નરેશ પટેલને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવે. તેમણે નરેશ પટેલની બેધારી નીતિ અંગે પોતાનો વિરોધ નોધાવ્યો છે. પોપટ ફતેપરાએ જણાવ્યું હતું કે, ભાજપે 1 મુખ્યમંત્રી, 7 મંત્રીને સરકારમાં સ્થાન આપ્યુ છે. નરેશ પટેલ લેઉવા-કડવા નહીં પાટીદાર એક હોવાની વાત કરે છે. પરંતુ લેઉવા પાટીદારને મંત્રીમંડળમાં ખાતા ફાળવવામાં નથી આવ્યાની રજુઆત કરે છે. બીજી બાજુ ઊંઝા, સિંદસર સંસ્થાઓમાં ક્યારેય રાજકારણે સ્થાન અપાયુ નથી. ત્યારે નરેશ પટેલ ખોડલધામને રાજકીય અખાડો બનવા જઈ રહ્યા છે.
પોપટ ફતેપરાએ પત્ર લખીને નરેશ પટેલ પર કર્યા આક્ષેપો
ફતેપરાએ કહ્યું કે, નરેશ પટેલે ખોલડધામને રાજકીય અખાડો બનાવી દીધો છે. લેઉવા-કડવાનું રાજકારણ રમીને ભાગલા પાડી રહ્યાં છે. નરેશ પટેલ હાલ લેઉવા પટેલને અન્ય થયો તેવું કહે છે. નોખી રાવટી લઈને દોડ દોડ કરે છે. લેઉવા પટેલ સમાજને અન્યાય નથી થયો. અન્યાય નરેશ પટેલને થયો છે માટે તે આવું રાજકારણ કરે છે. 2009માં કિરણ પટેલને સંસદની ટિકિટ મળી હતી. તે સમયે રાજકીય અખાડાનો ખેલ નાખી કિરણ પટેલને હરાવ્યા હતા. પાટીદાર સમાજનો બણતર તરીકે ઉપયોગ કરી પોતાની ખીચડી પકાવી છે. સરકારે સમાજને ઘણું આપ્યું છે. હાલ મુખ્યમંત્રી અને 7 મંત્રીઓ સરકારમાં છે. સરકારમાં નરેશ પટેલનો વારો નથી આવતો એટલે આવું કરે છે. નરેશ પટેલને સરકારનું હેલીકૉપટર જોઈએ છે. માટે ત્રણ પાર્ટીના તણખા તોડી રહ્યાં છે.
નરેશ પટેલ હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાયા નથી
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ. નરેશ પટેલે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવાનો હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. પણ હા સમાજને પૂછીને કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલતો ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલ 'કોની સાથે'ની ચર્ચા થઇ રહી છે. જોકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે તેમનો અંગત નિર્ણય છે. જોકે તમામ પક્ષો તેમને પોતાના પક્ષમાં લેવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસના નેતાઓના નરેશ પટેલ અંગે નિવેદન
કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ ગમે તે પક્ષમાં જાય તે એમનો નિર્ણય હશે, પણ સમાજની લડાઈ સરકાર સામેના પક્ષમાં રહીને જ લડાય છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કોઇપણ પાર્ટીમાં જોડાવવું એ તેમનો અધિકાર છે. તો વળી ભાજના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જણાવ્યું હતું કે, તેમણે કોઇ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી, નરેશ પટેલ ભાજપની સાથે રહેશે તેવો મને વિશ્વાસ બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં નરેશભાઇ ભાજપમાં રહેશે.તેમજ પાટીદાર અગ્રણી સી.કે. પટેલ નરેશ પટેલે રાજકરણમાં આવવું જ જોઇએ, કોંગ્રેસમાં જોડાવું કે ભાજપમાં તેમનો અંગત મત છે. તો આ સાથે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોઇ પક્ષમાં જોડાય એ એમનો વિષય, હવે રાજનીતિમાં વિકાસની રાજનીતિ ચાલશે