મહેસાણા: પાટીદાર સમાજના પડતર મુદ્દાઓના ઉકેલ માટે આજે વિજાપુર તાલુકા પાસ અને spg દ્વારા 15 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે આવેલા ખોડલધામથી શરૂ થયેલી આ પાટીદાર પદયાત્રાનું વિજાપુર ઉમિયા માતાના મંદિરે સમાપન થયું હતું.
આ યાત્રામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પ્રવકતા પૂર્વીન પટેલ અને પાસના દિલીપ સાબવા ગીતાબેન પટેલ અને જયેશ પટેલ સહિતના કન્વીનરો એકી સાથે જોડાયા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો મહિલાઓ અને પાટીદાર સમાજના અન્ય લોકો જોડાઇને પાટીદાર સમાજની આઠ માંગણીઓને ત્વરિત ઉકેલ લાવવા માંગણી કરી હતી.
આ યાત્રઆમાં જોડાયેલ દિલીપ સાબવાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે 2019માં ખબર પડશે કોનામાં કેટલો દમ છે. અમે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાર્યક્રમ કરીશું. અમારા સમાજની અવગણના સરકારને ભારે પડશે.