તમે 50 હજાર કે 50 લાખના દાન એક દિવસમાં થયા હોય તેવા રેકોર્ડ સાંભળ્યા હશે પરંતુ શનિવારે પાટીદારોની મુખ્ય સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં માત્ર 136 મિનિટમાં 136 કરોડનું દાન જાહેર કરાયું છે. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરના શિલાન્યાસ સમારોહની ધર્મસભામાં પાટીદાર દાનવીરોએ આ દાનની જાહેરાત કરી હતી.
પ્રસિદ્ધી મોહ વગર એક અનામી દાતાએ નામ વગર 25 કરોડનું દાન આપ્યું
સંસ્થાના પ્રમુખે કહ્યું કાલ સુધીમાં 500 કરોડનું દાન કરવું છે ને 511 કરોડનું દાન થયું
511 કરોડના દાનમાંથી વિશ્વઉમિયાધામ સંકુલ બનશે
વિશ્વઉમિયાધામ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જાહેરાત કરી કે આવતી કાલ સાંજ સુધીમાં 500 કરોડનું દાન એકઠું કરવું છે જ્યારે અત્યાર સુધીમાં 360 કરોડ જેટલું દાન ભેગું થઈ ગયું છે. આ વાત સાંભળતાં જ ગુજરાત અને વિદેશમાં વસતાં પાટીદાર શ્રેષ્ઠીઓએ બીજા દિવસના શિલાન્યાસ સમારોહની ધર્મસભામાં દેશભરના દિગ્ગજ ધર્મગુરૂઓ હાજર હતા ત્યારે માત્ર 136 મિનિટ અર્થાત્ અંદાજિત 2 કલાકમાં 136 કરોડના દાનની શરવાણી થઈ. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના જણાવ્યા મુજબ...
25 કરોડના દાતા કહ્યું મારૂ નામ જાહેર કરશો તો પૈસા નહીં આપું
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગુજરાતની એવી પ્રથમ સંસ્થા બની જ્યાં કોઈ એક દાતાએ નામ વગર ૨૫ કરોડ રુપિયાનું માતબાર દાન આપ્યું. સમાજમાં પ્રસિદ્ધી અને નામની ખેચતાણમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને એક નવો ચિલો ચાતર્યો. કે કોઈ નામ અને પ્રસિદ્ધિ કે સન્માન વગર ૨૫ કરોડ જેટલું મોટું દાન આપવું. આ ઉપરાંત અનામી દાતાએ એવી શરત રાખી કે જો નામ જાહેર કરો તો રુપિયા નહીં આપું.
26 દાતાઓએ 136 કરોડનું દાન આપી દીધું
પ્રથમ વખત એવી ઘટના બની કે ગુજરાત કે દેશભરની કોઈ એક સંસ્થા એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ તા. ૨૮મી એ એવી જાહેરાત કરે કે ૫૦૦ કરોડમાં હજુ 136 કરોડ બાકી છે અને ૨૯મી તારીખે માત્ર ૨૪ કલાકમાં દાનનો આંકડો ૫૧૧ કરોડે પહોંચી જાય. ચાલુ ધર્મસભામાંથી ૨૬ દાતાએ એે દાનની સરવાણી કરીને 136 કરોડનું દાન ભેગું થયું.