ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનને લઈને આજે હાર્દિક પટેલ પાટીદાર મહાપંચાયતને સંબોધન કરનાર છે ત્યારે હાર્દિકના જ જૂના સાથી દિનેશ બાંભણીયાએ હાર્દિકને પત્ર લખીને સવાલો કર્યાં છે. બાંભણીયાએ પત્રમાં જણાવ્યું છે કે શહીદ પરિવારો SPG સહિતની સંસ્થાને આમંત્રણ નહીં તે દુ:ખદ બાબત છે.
કાર્યક્રમ વ્યક્તિગત પ્રતિષ્ઠા વધારવા માટે આયોજીત કરવામાં આવ્યો છે. પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક નહીં પણ સમગ્ર સમાજ છે. આ સાથે હાર્દિક અને ભાજપની ગુપ્ત મિત્રતા હોવાનો બાંભણિયાએ આક્ષેપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પાટીદાર આંદોલનના પ્રણેતા અને પાટીદાર સમાજના આગેવાન છે.તેઓ વારંવાર પોતાના નિવેદનોને કારણે માધ્યમોમાં ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં તેમણે ગુજરાત ભાજપ વિશે એક નિવેદન આપતા જણાવેલ કે કેટલાક નેતાઓ પક્ષની કામ કરવાની પદ્ધતિથી નારાજ છે. આ સાથે તેમણે ભાજપના કેટલાક ટોચના નેતાઓના નામનો ઉલ્લેખ કરતા જણાવેલ કે તેઓ પક્ષથી નારાજ છે.
હાર્દિક પટેલના જુના સાથીદાર અને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ આજે હાર્દિક પટેલ પર પ્રહાર કરતા જણાવેલ કે તે આ કાર્યક્રમો પોતાની અંગત પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે કરી રહ્યો છે આ સાથે વધુમાં જણાવેલ કે તે ભાજપનો ગુપ્ત મિત્ર છે તેવો પણ આક્ષેપ કર્યો હતો.