રાજ્યમાં પાટીદાર સમાજ સમૃદ્ધ અને સભ્ય ગણાય છે જેને લઈ દરેક વર્ગ પાટીદાર આગેવાનને હસ્તે મોઢે રાજકિય પક્ષો સ્વીકારી લે છે. એક સમયે કોંગ્રેસ અને ભાજપ જેવા પક્ષોમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળતું હતું. જેથી ધારાસભ્ય, સાંસદ અને મંત્રીમંડળમાં પાટીદાર સમાજનો હિસ્સો લગભગ 50 ટકા જેટલો રહેતો. જો કે કોંગ્રેસના માધવસિંહ સોલંકીની ખામ નીતિ બાદ પાટીદારો ભાજપ તરફ ધસ્યા. અત્યાર સુધી કોંગ્રેસના ઘણા પાટીદાર નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરીયો કર્યો છે. છેલ્લે હાર્દિક પટેલના ભાજપ ગમન બાદ કોંગ્રેસમાં હાલ એવો કોઈ પાટીદાર ચહેરો નથી જેના ખભે જવાબદારી ઝીંકી આવનાર ચૂંટણીમાં કાઠું કાઢી શકાય
કોંગ્રેસમાં પાટીદારોનો ગજ વાગશે?
નરેશ પટેલ કોંગ્રેસમાં જશે, કોંગ્રેસને મોટો ફાયદો તેવા સમાચાર 3 4 મહિના ચાલ્યા પણ ગુજરાતની રાજનીતિને અંદરથી ઓળખતા નરેશ પટેલ સમાજ સમાજ કરી છેલ્લે ઘર સાચવી બેસી ગયા. રાજનીતિમાં નો એન્ટ્રીનું બોર્ડ મારી દેતા કોંગ્રેસની એક મોટી આશા પર ઢાઢૂબોળ પાણી ફરી વળ્યું. કારણ કે કોંગ્રેસ જાણે છે કે પાટીદાર પડખે હશે તો ગુજરાતનો ગઢ જીતવાના ચાન્સ પણ વધશે. હાલ કોંગ્રેસ અંદરોઅંદર મંથન કરી રહી છે કે કોંગ્રેસમાં કયા પાટીદાર નેતાને આગળ કરવાથી ફાયદો થશે તેને લઈ હાલ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોઈ નારાજ ન થાય અને પાર્ટી છોડી કોઈ પાટીદાર કોંગ્રેસને પાણીચો ન દેખાડે તે માટે અત્યારથી જ કોંગ્રેસ નેતા પોતે જ મનોમંથન કરી કોંગ્રેસમાં પાટીદારોનું મહત્વ જળવાય તેવા પ્રયત્નોમાં લાગ્યા છે.
કોંગ્રેસ પાટીદારોને પોતાના તરફ ખેંચવા તલપાપડ
વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ બાદ કોંગ્રેસમાં પણ પાટીદાર ફેક્ટર ઉભુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે મનહર પટેલ, ગીતા પટેલ, ડો.જીતુ પટેલ જેવા કોંગ્રેસના મોટા પાટીદાર ચહેરાએ એક પાટીદાર બેઠક યોજી હતી જેમાં ખાસ કરીને કોંગ્રેસ કંઈ રીતે મજબૂત બને તે અંગે મનોમંથન કરવામાં આવ્યું, કોંગ્રેસમાંથી પાટીદારો આગેવાનોનું પક્ષ છોડવાનું બંધ થાય તે અંગે પણ ઊંડી ચર્ચાઓ કરવામાં આવી.પાટીદારોની અંદરો અંદરની ગેરસમજો દૂર કરવા પર કોંગ્રેસ પાટીદારની આ બેઠક મહત્વની ગણાય છે. જો કે પાટીદાર આંદોલન બાદ પાટીદાર સમુદાયમાં ક્યાંક કોંગ્રેસ ને સમર્થન સાથે કોંગ્રેસ તરફ મહ્ત્વકાંક્ષી બન્યું હોય તેમ જોવા મળી રહ્યું છે.
- કોંગ્રેસમાં પાટીદાર સમાજ શુન્યાવકાશ થાય તે પક્ષ-સમાજને નુકશાન
- કોંગ્રેસ પક્ષમાં પાટીદાર સમાજની હાલની સ્થિતી
- પાટીદાર આગેવાનો કોંગ્રેસ પક્ષ છોડવાનું બંધ થાય
- પાટીદાર આગોવાનોની નારાજગી દુર કેમ થાય
- પાટીદાર સમાજ વચ્ચે સંકલન વધુ મજબુત
- પક્ષના આંતરીક જૂથવાદ-પાટીદાર આગેવાનોની સ્થિતી
- સમાજના મતોના આંકડા કરતા અન્ય સમાજના પ્રભુત્વના આંકડા મોટા
- પ્રદેશ સમિતિ દ્વારા થતી નિમણૂંકોમાં સંકલન જળવાય
- સમાજના કોંગ્રેસના આગેવાનોમાં આતંરીક ગેરસમજણો દૂર કરવી
15 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર સમાજ
હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં મત આપે છે.
પાટીદારોનો કેટલો છે પાવર?
- રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે
- જેથી 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો પાટીદાર સમુદાયમથી હતા