આગામી વિધાનસભા ચૂંટણીને લઇ ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે યોગ્ય સમયે હું ચાક્કસ જવાબ આપીશ
આગામી વિધાનસભા ચૂંટણીને લઇ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ ચૂંટણીને લઇ કહ્યું કે હજુ તો આપણે 2021માં છીએ. એટલે યોગ્ય સમયે હું આનો જવાબ આપીશ. દરેક પાર્ટી એનું કામ કરે છે સમાાજ એનુ કામ કરે છે.
સમય આવ્યે હું ચોક્કસ જવાબ આપીશ
આ સાથે જ પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી 2022 ડિસેમ્બરમાં છે અને હજુ 2021 છે. એટલે યોગ્ય સમયે હું ચાક્કસ જવાબ આપીશ.
ગઈકાલે જસદણમાં આવ્યું હતું મોટું નિવેદન
સૌરાષ્ટ્રના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ થયો હતો. સામાજિક એક્યના ભાવ અને સમાજ ઉથ્થાનના નિર્ધાર સાથે નવી પેઢીમાં ગણતર સાથે ભણતરનો ભાવ પ્રકટે તેવી જ્યોત જલાવવા પાટીદાર સમાજ વરસોથી મહેનત કરી રહ્યો છે. જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના આંદોલન વેળાની વાતને યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો હજુ સુધી પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.
SPG અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા
પાટીદાર સમાજના SPGના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. માગણીઓને છ-છ વર્ષથી પૂર્ણ કરવમાં નથી આવી.ત્યારે હવે પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે સમાજના વડીલોને સાથે રાખી રજૂઆત કરીશું. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. તો વરુણ પટેલે પણ આહ્વાન કરતા કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. આંદોલનકારીઓ સમાજ માટે લડી રહ્યા છે
અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ?
ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.
અમિચ ચાવડાએ આપી પ્રતિક્રિયા
નરેશ પટેલ દ્વારા પાટીદાર સમાજ અંગે એક નિવેદન કરવામાં આવ્યું હતું. જે બાદ અમિત ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આગામી ચૂંટણીમાં હવે પ્રજાનું શાસન આવશે. દરેક સમાજ પોતાનું પ્રતિનિધિત્વ ઇચ્છી રહ્યો છે. ત્યારે પ્રજાનો નિર્ણય આખરી હોવાની વાત અમિત ચાવડાએ જણાવી હતી. આ સાથે પ્રજા નક્કી કરે છે કે શાસન કોના હાથમાં આપવું છે એ પણ અમિતા ચાવડાએ નિવેદન આપ્યું છે.