પાટીદાર આગેવાન દિલીપ સાબવાએ મોટા આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પાટીદાર સમાજ અનામતની વાતો કરતા હતા, 10 ટકા અનામત મળી ગઈ છે. GMDC ગ્રાઉન્ડમાં થયેલ હુલ્લડમાં 3 હજાર પાટીદારો બેઘર બન્યા હતા.
GMDCમાં આંદોલનકારીઓએ કાંકરીચાળો કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, હાર્દિકે હિન્દીમાં સ્પીચ શું કામ આપી હતી. અગાઉથી જ તોફાન કરાવવાનું ષડયંત્ર હતું. વિધાનસભાની ચૂંટણીમાં આંદોલનકારીઓએ કોંગ્રેસને સપોર્ટ કર્યો હતો.
આ ઉપરાંત તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, લલિત વસોયાએ નટુ ગાંડાને ઉભો કરી અમારી ઉપર હુમલો કરાવ્યો હતો. પંકજ પટેલના અવસાન સમયે લલિત કગથરા તેમની સાથે હતા. સમાજ માટે તમામ લોકો આવ્યા પણ 5 લોકોએ પોતાના ઘર ભર્યા છે.
સાબવાએ કહ્યું કે, લલિત વસોયાએ નટુ ગાંડાને ઉભો કરી વાતાવરણ ગરમ કર્યું. પંકજ પટેલનો કેસ દબાવવાના પણ પ્રયત્ન કરવામાં આવ્યા. હળવદની અંદર પંકજ સમાજને સાથે એકઠા કરી શકતો હતો. વધુમાં તેમણે કહ્યું કે, મને રિવોલ્વર બતાવી ધમકી આપી છે.
સાબવાએ આક્ષેપ કર્યો હતો કે, સમાજના નામે સંવિધાન બચાવો રેલી કરી હતી. રાત્રી દરમિયાન તમામ લોકો નશામાં ડૂબ્યા હતા. હાર્દિકના હાથમાં મોબાઈલ પકડવાની પણ તેવડ ન હતી. સીડીકાંડ મામલે હાર્દિકને કેસ કરવા કહ્યું હતું પણ ન કર્યો. સુરતમાં શહીદ યાત્રા કાઢી અલ્પેશ કથીરિયા ઉપર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થયો.
દિલીપ સાબવાના આક્ષેપો મુદ્દે દિનેશ બાંભણીયાનું નિવેદન
દિલીપ સાબવાના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. હું દિલીપ સાબવાની વાતથી સહમત નથી.