કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછતા સર્વણોને આપેલા 10 અનામતનો સૌથી પહેલો લાભ હવે ગુજરાતના નાગરીકોને આવતીકાલથી મળતો શરૂ થઈ જશે. ત્યારે આ અનામતને લઇને કેટલાક નેતાઓ અને આંદોલનકારીઓ નિવેદનો આપી રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ અનામત 2019નું પૂર્વ પ્લાનિંગ છે. સવર્ણ શબ્દ સરકાર ક્યાંથી લાવી? અમે ગુજરાત સરકાર પાસે અનામત માગ્યું હતું. કેન્દ્ર સરકારે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. કોર્ટમાં આ અનામત ટકી શકશે નહીં. સરકાર ઉતાવળિયા નિર્ણયો લઇ રહી છે. સરકારને રાત્રે જ સ્વપ્ન આવે છે અને નિર્ણયો લેવાય ચે. ભાજપે પોતાની વાતો પરથી પીછેહઠ કરવી પડી છે. અનામતની વાતો થાય છે પણ લાભ કેટલો મળે તે મહત્વનું છે.
પાટીદાર અનામત આંદોલન મુદ્દે અલ્પેશે કહ્યું કે 14 પાટીદાર શહીદોનું બલિદાન એળે નહીં જાય. મૃતકોના પારીવારોજનોને સહાય મળવી જોઇએ. જેમની સામે કેસ થયા છે તે કેસ પરત ખેંચાય. પાટીદાર યુવાનો આજે કોર્ટના ધક્કા ખાતા થઇ ગયા છે. હું આને બંધારણીય અનામત નથી માનતો. દરેક વ્યક્તિને કેવી રીતે લાભ શક્ય છે. મને EBCનું ફોર્મ મળ્યું નથી. EBCનો લાભ કેવી રીતે મળશે તેની કોઇ ગાઇડલાઇન જાહેર કરાઇ નથી. આવકના દાખલા કઢાવવા લોકોને કેટલા ધક્કા ખાવા પડશે. 4 કરોડથી વધુ લોકોને આવકના દાખલા કઢવવા સરકારે કોઇ વ્યવસ્થા નથી કરી.
મહત્વનું છે કે સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં આ લાભ આપવામાં આવશે. મહત્વનું છે કે 14 જાન્યુઆરી 2019 પહેલા સરકારી ભરતીની જે પરીક્ષાઓ આપવામાં આવી હશે તેમને આ લાભ આપવામાં નહી આવે જોકે. 14 તારીખ બાદ લેનાર પરીક્ષાઓમાં આ લાભ આર્થિક રિતે પછતા સર્વણોને આપવામાં આવશે.