રાજકોટ: ખોડલધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બે વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ મહિલા અને વિદ્યાર્થી સમિતિ દ્વારા પદાયત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના માયાણીનગર સ્થિત સરદાર સદનથી મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો પહોંચ્યા અને પદયાત્રાની શરૂઆત થઈ.
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ દ્વારા માતાજીના રથની આરતી ઉતારી બાદમાં પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આજે રાજકોટથી શરૂ થયેલી પદયાત્રા કાગવડ ખોડલધામ સુધીની 60 કિલોમીટરની પદયાત્રામામાં 6 હજાર જેટલા લોકો જોડાયા હતા.
આ સાથે જ 500થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાગવડ ખાતે ઓલ ઇન્ડિયાના કન્વીનરો અને હોદેદારોનું સ્નેહ મિલન પણ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
Khodaldham મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ
20થી 21 જાન્યુઆરી નીકળશે ખોડલધામ પદયાત્રા
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયું પદયાત્રાનું આયોજન
રાજકોટથી ખોડલધામ મંદિર સુધી 60 કિમીની પદયાત્રા
60 કિમી લાંબી પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાશે પાટીદારો@Nitinbhai_Patel@HardikPatel_pic.twitter.com/LRcUGQfjJl
આપને જણાવી દઇએ કે પદયાત્રાની શરૂઆત પહેલા ખોડલ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રા શાપર ગોંડલ અને વીરપુર થઈ અને કાગવડ પહોંચવી છે.
જેની જાણકારી મંદિરના ટ્રસ્ટીએ જાહેર માધ્યમોની આપી હતી. આ સાથે જ આવતીકાલે પદયાત્રાનું સમાપન કાગવડ ખાતે થશે જેમાં સમાપન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ હાજર રહેશે.