પંજાબના પટિયાલામાં શિવસેના હિન્દુસ્તાન અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે હિંસા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઇ છે. આજે શિવસેનાએ બંધ પાળવાની જાહેરાત કરી.
પંજાબમાં ખાલિસ્તાની V/S શિવસેના
ખાલિસ્તાનનું પૂતળું સળગાવતાં વિવાદ
આજે શિવસેનાએ બંધ પાળવાની જાહેરાત કરી
પટિયાલામાં હિંસા દરમિયાન કાલી મંદિર પર થયેલા હુમલાના વિરોધમાં આજે(30 એપ્રિલ)એ શિવસેના હિન્દુસ્તાન નામના હિન્દુ સંગઠને પટિયાલા બંધ કરવાનું એલાન કર્યું છે. સંગઠનના અધ્યક્ષ પવન ગુપ્તાનું કહેવું છે કે રેલી સાથે કાલી મંદિરને કોઈ લેવા-દેવા ન હતા. પરંતુ તેમ છતા પણ ખાલિસ્તાન સમર્થકોએ મંદિર પર હુમલો કરીને વિવાદ છંછેડ્યો. ગુપ્તા આજે ખાલિસ્તાની સમર્થકોની ધરપકડની માંગને લઇને કાર્યકર્તાઓની સાથે પ્રદર્શન કરશે. તો પટિયાલામાં તંગદિલી ભર્યો માહોલ હોવાથી આજે સવારે 9.30થી સાંજના 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરવાના તંત્રએ આદેશ આપ્યા છે.
પૂર્વ તૈયારીન ભાગરૂપે તંત્રએ શુક્રવારે સાંજે 7 વાગ્યાથી શનિવાર સવારે 6 વાગ્યા સુધી શહેરમાં કર્ફ્યૂ લગાવી દીધું હતું. જોકે હવે તંત્રની નજર આજના થનારા ઘટનાક્રમ પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોલીસ અને સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીની બેઠક બોલાવીને ઘટનાની તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપ્યા છે.
જણાવી દઇએ કે, 29 એપ્રિલે શિવસેના(બાલાસાહેબ)ના કાર્યકર્તાઓ પટિયાલામાં ખાલિસ્તાન મુર્દાબાદની રેલીનું આયોજન કર્યું હતું. ખાલિસ્તાનનું પૂતળું સળગાવતાં વિવાદ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન શિવસૈનિકો અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે અથડામણ થઇ હતી. રેલીની આગેવાની કરનારા હરીશ સિંગલાની કાર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.