દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે એર ઈન્ડિયા પેશાબકાંડનાં આરોપી શંકર મિશ્રાને મોટી રાહત આપતાં જામીન આપી છે.
દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે પેશાબ કાંડ પર લીધો નિર્ણય
આરોપી શંકર મિશ્રાને અરજી બાદ આપી જામીન
એક લાખ રૂપિયાનાં બોન્ડનાં આધાર પર મળી જામીન
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાનાં આરોપી શંકર મિશ્રાને કોર્ટથી મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટથી શંકર મિશ્રાને જામીન આપવામાં આવી છે. સોમવારે જામીનની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટ પોતાના નિર્ણય પર અડગ રહી હતી. હવે દિલ્હીની પટિયાલા હાઉસે કોર્ટને મંગળવારે આ મામલાનાં આરોપી શંકર મિશ્રાને જામીન આપી છે સાથે જ આરોપીને કોર્ટે એક લાખ રૂપિયાનાં દંડ ફટકારેલ છે.
કોર્ટે બોન્ડની શરત પર આપી જામીન
આરોપી શંકર મિશ્રાને પેશાબ કાંડ માટે જેલ ભેગો કરવામાં આવ્યો હતો. જેમાં આજે કોર્ટે તેને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપી છે. દિલ્હી પટિયાલા કોર્ટે બોન્ડની શરત પર આરોપીને મુક્ત કરેલ છે.
Patiala House Court grants bail to Shankar Mishra, accused of allegedly urinating on a woman on board an Air India flight from New York to New Delhi on November 26 last year. He was arrested by the Delhi Police on January 6. pic.twitter.com/mrxrYZt3fo
પોલીસે જામીન અરજીનો કર્યો વિરોધ
શંકર મિશ્રા પર આરોપ હતો કે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેણે એક મહિલા પર નશામાં પેશાબ કરેલ હતો. આ મામલામાં આરોપીની જામીન અરજીનો વિરોધ કરતાં પોલીસે કહ્યું કે આરોપીનાં આવા કૃત્યથી ભારતની આંતરરાષ્ટ્રીય સ્તર પર બેઈજ્જતી થઈ છે. શંકર મિશ્રાની 7 જાન્યુઆરીનાં રોજ બેંગલૂરુંથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીએ ફરિયાદીને ધમકી પણ આપી હતી
ન્યાયાલયે શંકર મિશ્રાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતાં કહ્યું કે 'આરોપીએ જે કર્યું તે ઘૃણાસ્પદ હોઈ શકે છે. પરંતુ આપણને ન પડવું જોઈએ. આવો જોઈએ કાયદો આ મુદા સાથે કેવી રીતે ડીલ કરે છે.' આરોપીને જામીન આપવાનો વિરોધ કરતાં પોલીસે કહ્યું હતું કે આરોપીએ ફરિયાદીને ધમકી પણ આપી હતી.
આરોપીએ જામીનની કરી માંગ
આરોપીએ એવું કહીને જામીનની માંગ કરી હતી કે ચાલક દળનાં અન્ય સદસ્યો અને સાક્ષીઓથી ક્રોસ ચેકિંગ થઈ ચૂકી છે. તેમણે ટિકીટનાં પૈસા પણ પાછાં આપી દીધેલ છે અને તેના વિરોધ કોઈ કાર્યવાહી ન કરવાનું અનુરોધ પણ કરેલ છે.
મહિલાએ કરી હતી ફરિયાદ
એર ઈન્ડિયામાં યાત્રીક મહિલાએ પોતાની આપવીતીમાં જણાવ્યું કે ફ્લાઈટમાં યાત્રા દરમિયાન નશામાં ધુત્ત યાત્રી શંકર મિશ્રાએ તેમના ઉપર પેશાબ કર્યું હતું. તેમણે અવું પણ કહ્યું કે આ મુદાને એર ઈન્ડિયાનાં ક્રૂ સદસ્યોએ ખાસ મહત્વ આપ્યું નહોતું.