કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અંબિકા સોનીએ પંજાબના મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે. કેપ્ટનના રાજીનામા બાદ મોડી રાત્રે તેમના નામની ચર્ચા થઈ હતી પરંતુ તે પદ માટે ઈન્કાર કર્યો
અંબિકા સોનીએ તેમના સ્વાસ્થ્યને ટાંકીને આ પદ લેવાની ના પાડી
કોંગ્રેસના ઘણાં નેતાઓ અંબિકા સોનીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રીની રેસમાં આ ચાર નેતાઓનું નામ પણ ચાલી રહ્યું છે
અંબિકા સોનીએ તેમના સ્વાસ્થ્યને ટાંકીને આ પદ લેવાની ના પાડી
અંબિકા સોની હાલમાં પંજાબથી રાજ્યસભાના સાંસદ છે અને તેમણે યુપીએની કેન્દ્ર સરકારમાં કેન્દ્વીય મંત્રીનું પદ સંભાળ્યું છે. તેમને ગાંધી પરિવારની નજીક માનવામાં આવે છે. અંબિકા સોની પંજાબના હોશિયારપુરની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અંબિકા સોનીએ તેમના સ્વાસ્થ્યને ટાંકીને આ મહત્વપૂર્ણ પદ લેવાનો ઇનકાર કર્યો છે. જોકે, તેમણે પાર્ટીના નેતૃત્વને કહ્યું છે કે આ પોસ્ટ પર માત્ર એક શીખ જ મૂકવો જોઈએ. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ સોનીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સહમત ન થયા.
કોંગ્રેસના ઘણાં નેતાઓ અંબિકા સોનીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે અંબિકા સોનીએ તેમના સ્વાસ્થ્યને ટાંકીને આ મહત્વપૂર્ણ પદ લેવાનો ઇનકાર કર્યો છે. જોકે, તેમણે પાર્ટીના નેતૃત્વને કહ્યું છે કે આ પોસ્ટ પર માત્ર એક શીખ જ મૂકવો જોઈએ. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ સોનીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સહમત ન થયા. સોનીના ના ઇનકાર બાદ હવે બપોરે 1 વાગ્યે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. માનવામાં આવે છે કે આમાં નવા નેતાના નામ પર ચર્ચા થશે અને તેમની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અત્યારે હરીશ રાવત, અજય માકન અને નવજોત સિંહ સિદ્ધુ હોટલમાં જ નવા મુખ્યમંત્રીના નામની ચર્ચા કરી રહ્યા છે.
મુખ્યમંત્રીની રેસમાં આ ચાર નેતાઓનું નામ પણ ચાલી રહ્યું છે
પંજાબના મુખ્યમંત્રીના પદની રેસમાં ચાર નેતાઓના નામ ચાલી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને અમરિંદર સિંહના નજીકના સહયોગી સુનીલ જાખડ આ રેસમાં આગળ છે. આ સિવાય નવજોત સિંહ સિદ્ધુ, પ્રતાપ બાજવા અને સુખજિંદર સિંહ રંધાવાનાં નામ પણ રેસમાં સામેલ છે.