પતંજલિની કોરોનિલ દવા પરથી પ્રતિબંધ હટી ગયો છે. યોગગુરૂ રામદેવે બુધવારે પતંજલિમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનિલના વેચાણને લઇને હવે આયુષ મંત્રાલયે પ્રતિબંધ હટાવી લીધો છે.
પતંજલિની કોરોનિલ દવા પરથી પ્રતિબંધ હટ્યો
ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે થઇ શકશે વેચાણ
આયુષ મંત્રાલયે કોરોનિલને આપી ક્લિનચીટ
તેમણે પતંજલિ યોગપીઠ દ્વારા બનાવવામાં આવેલ દવા કોરોનિલ વટી ઇને શ્વાસારિવટીને લઇને છેલ્લા 1 અઠવાડિયાથી વિવાદ ચાલી રહ્યો હતો જે હવે પૂર્ણ થવા જઇ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આયુષ મંત્રાલયે કોરોનિલને આપી ક્લિનચીટ
તેમણે જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે પતંજલિની દવાને લઇને કોઇપણ પ્રકારનો વિવાદ નથી. હવે આયુષ મંત્રાલયે આ દવાને ક્લિનચીટ પણ આપી છે કે, માનવીના શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે બૂસ્ટર સ્વરૂપે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એટલે કે હવે આ દવાને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે વેચી શકાશે
શબ્દોની માયાજાળમાં ફસાવવામાં આવ્યો સમગ્ર મામલો
આયુષ વિભાગ દ્વારા ક્લિનચીટ મળ્યા બાદ બુધવારે સ્વામી રામદેવે પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃ઼ષ્ણ અને આયુર્વેદના શોધ વૈજ્ઞાનિક ડૉ. અનુરાગની સાથે પતંજલિ યોગપીઠમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પતંજલિએ પહેલેથી જ કહી રહ્યું છે કે, જે દવા બનાવવામાં આવી છે તેનો કોરોનાના દર્દીઓ પર ઉપયોગ કરવામાં આવ્યા અને તેઓ સાજા થયાં પરંતુ સમગ્ર મામલાને શબ્દોની માયાજાળમાં ફસાવવામાં આવ્યો.
ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કાર્ય કરે છે કોરોનિલ
આપને જણાવી દઇએ કે, આ દવા ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કાર્ય કરે છે. આ દવા કોરોના વાયરસની અસરોને દૂર કરીને માણસને સ્વસ્થ બનાવે છે. તેમણે કહ્યું હતું કે, ક્લિનિકલ ટ્રાયલ સહિત દવા બનાવવાનું લાઇસન્સ સહિતના તમામ દાવા, સરકારી ધોરણો અનુસાર દવાઓનું ઉત્પાદન અને દર્દીઓના ઇલાજ યોગ્ય છે અને પતંજલિ આજે પણ પોતાના દાવા જાળવી રાખ્યા છે.
23 જૂને પતંજલિએ લોન્ચ કરી કોરોનાની દવા
ઉલ્લેખનીય છે કે ગત 23 જૂને પતંજલિના દિવ્ય ફાર્મસીએ રાજસ્થાનની નિમ્સ યુનિવર્સિટીની સાથે મળીને કોરોનિલ અને શ્વાસારી વટી લોન્ચ કરી હતી અને તેનાથી કોરોનાના દર્દીઓને સાજા કરવાનો દાવો પણ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે દર્દીઓ પર તેનું ક્લિનિકલ ટેસ્ટ કરાયું હતું પરંતુ તરત જ સ્વાસ્થ્ય મંત્રાલયના આયુષ વિભાગે આ દાવાને નકાર્યો હતો.