કોરોના વાયરસની દવાને લઇને સમગ્ર દુનિયાના સંશોધકો સંશોધન કરી રહ્યા છે. અત્યાર સુધી કોઇપણ દેશને વિશ્વસનીય દવા બનાવવામાં કોઇને સફળતા મળી નથીય ત્યારે બાબા રામદેવ મંગળવારે કોરોના સામે કારગત નીવડતી દવા બનાવવાનો દાવો કર્યો છે. યોગગુરૂએ કહ્યું કે, તેમની દવા કોરોનિલ દ્વારા 7 દિવસની અંદર 100 ટકા જેટલી રિકવરી જોવા મળશે. ત્યારે ભારત સરકારના આયુષ મંત્રાલયે બાબા રામદેવના દાવાને ફગાવ્યા છે.
આયુષ મંત્રાલયે બાબા રામદેવની દવા પર લગાવી રોક
આયુષ મંત્રાલયે માન્યતા વગરની દવાઓને લઇને વ્યકત કરી શંકા
જાહેરાત ન કરવાની પણ આપી સૂચના
પતંજલિ દ્વારા કોરોના ક્યોરનો દાવો કરાયેલ દવા કોરોનિલને લઇને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયને જણાવ્યું હતું કે, ICMRના અધિકારીઓ જ તેના વિશે સાચી માહિતી આપી શકશે. આ સાથે જ આયુષ મંત્રાલયે આ દવાની જાહેરાતો કરવાની પણ મનાઇ ફરમાવી છે.
Ministry has taken cognizance of news in media about Ayurvedic medicines developed for #COVID19 treatment by Patanjali Ayurved Ltd. The company asked to provide details of medicines & to stop advertising/publicising such claims till the issue is duly examined: Ministry of AYUSH pic.twitter.com/OBpQlWAspu
રામદેવે કહ્યું કે અમે દિલ્હી સહિત અન્ય ઘણા શહેરોમાં ક્લિનિકલ ટેસ્ટ કર્યો છે. આ હેઠળ, અમે 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. ક્લિનિકલ અભ્યામમાં, 100 ટકા દર્દીઓ રિકવર થયા અને કોઈ મૃત્યુ પામ્યું નહીં. અમે કોરોનાના તમામ તબક્કાઓને રોકવામાં સફળતા મળી હતી. બીજા તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવ્યું છે.
બાબા રામદેવે દર્દીઓ સાજા થવાનો કર્યો છે દાવો
હરિદ્વારમાં આવેલ પતંજલિ યોગપીઠમાં લોકાર્પણ દરમિયાન, બાબા રામદેવે કહ્યું કે કોરોનિલ દવા માટે પરીક્ષણ કરાયેલા કોરોના દર્દીઓમાંથી 69 ટકા દર્દીઓ માત્ર ત્રણ જ દિવસોમાં પોઝિટિવથી નેગેટિવ થયા છે અને 100% દર્દીઓ સાત દિવસમાં ચેપ મુક્ત થઈ ગયા છે.
કોરોનિલ દવા ઘરેથી મળશે તેવી પણ કરાઇ જાહેરાત
કોરોનાની સારવાર માટે દાવો કરાયેલી કોરોનિલ દવા લોકો ઘરેબેઠાં પણ મેળવી શકશે. ઓર્ડર આપ્યાના ગણતરીના કલાકોમાં દવા પહોંચાડવામાં આવશે. પતંજલિએ કહ્યું છે કે, આવતા સોમવારે, ડ્રગના ઓનલાઇન ઓર્ડર માટે મોબાઇલ એપ 'ઓર્ડર મી' શરૂ કરવામાં આવશે, જેના દ્વારા ડ્રગ ખરીદી શકાય છે. તે જ સમયે, જેઓ તેને ઓફલાઇન સ્ટોરથી ખરીદવા માંગે છે, તેઓ એક અઠવાડિયા પછી તેને પતંજલિના સ્ટોરમાંથી ખરીદી શકશે.
દવાના લોન્ચિંગ દરમિયાન, આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું હતું કે અમે આ દવાને વધુ અસરકારક બનાવવા માટે જડીબુટ્ટીઓ સાથે ખનિજોનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના કીટ દ્વારા પણ કોરોના વાયરસથી બચી શકાય છે. એક કોરોના કીટની કિંમત ફક્ત 545 રૂપિયા હશે અને આ કીટ 30 દિવસની હશે.
પત્રકાર પરિષદમાં યોગગુરુ રામદેવનું નિવેદન
પત્રકાર પરિષદમાં યોગગુરુ રામદેવે કહ્યું કે આ દવા બનાવવા માટે માત્ર દેશી તત્વોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલેઠી કાઢા સહિતની ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ થતો હતો.
રામદેવે કહ્યું કે આયુર્વેદથી બનેલી આ દવા આવતા સાત દિવસમાં પતંજલિની દુકાનમાં મળી જશે. ઉપરાંત સોમવારે એક એપ શરૂ કરવામાં આવશે. જેની મદદથી આ દવા ઘરે પહોંચાડવામાં આવશે.