પતંજલિ આયુર્વેદે 250 કરોડ રૂપિયાના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) જાહેર કર્યા હતા. રોકાણકારોએ તેને હાથોહાથ ખરીદી લીધા અને સાથે જ 3 મિનિટમાં જ કંપનીના આ ડિબેન્ચર પૂર્ણ રીતે સબસ્ક્રાઈબ્ડ થયા. હરિદ્વાર મુખ્યાલયની કંપની પતંજલિ આયુર્વેદે પહેલીવાર રૂપિયા એકઠા કરવા માટે બોન્ડની મદદ લીધી છે.
પતંજલિ આયુર્વેદને જોઈએ છે 250 કરોડ રૂપિયાનું રોકાણ
કંપનીએ આ માટે લીધી બોન્ડની મદદ
NCD 3 જ મિનિટમાં થયો હતો ફૂલ સબ્સક્રાઈબ્ડ
હરિદ્વાર મુખ્યાલયની કંપની પતંજલિ આયુર્વેદે પહેલીવાર પોતાની રકમ ભેગી કરવા માટે બોન્ડની મદદ લીધી. બ્રિકવર્કે આ ડિબેન્ચરને AA રેટિંગ આપી હતી જે સારી ગણવામાં આવે છે. તેના શેર બજારમાં ઉતારવામાં આવ્યા અને ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર જેવી અનેક કંપનીઓએ બોન્ડ બજારથી રૂપિયા એકઠા કર્યા છે.
શું હોય છે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD)
નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) એ નાણાકીય સાધનો છે જે કંપનીઓ લાંબા ગાળાની મૂડી ઊભી કરવા માટે જાહેર કરે છે. તેનો સમયગાળો નિશ્ચિત છે, તેથી તે એફડી જેવું છે, પરંતુ તે શેરબજારમાં સૂચિબદ્ધ છે, તેથી તેમાંથી બહાર નીકળવું સરળ છે. આ પર વ્યાજ પણ 10 ટકા અથવા તેથી વધુ છે. નોન કન્વર્ટિબલ એટલે કે આ ડિબેન્ચર્સને શેરમાં રૂપાંતરિત કરી શકાતું નથી.
મળતી માહિતી અનુસાર કોરોના મહામારીની વચ્ચે આયુર્વેજ આધારિત ઉત્પાદનમાં વેચાણ ત્રણ ગણું વધ્યું છે. કોરોનાના કારણે મેન્યુફેક્ચરિંગથી લઈને વિતરણ સુધી સપ્લાય ચેનમાં અવરોધ આવ્યા છે. તેઓએ કહ્યું કે અમે આ ફંડ એટલા માટે ભેગું કરી રહ્યા છીએ જેથી પોતાની સપ્લાય ચેનને મજબૂત કરી શકાય અને મેન્યુફેક્ચરિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધીની પ્રક્રિયા સહજ બને.
આટલું મળશે વ્યાજ
પતંજલિ આયુર્વેદ હાલના વર્ષોમાં એફએમસીજીની પ્રમુખ કંપનીના રીતે વિકસી છે. કંપનીએ કહ્યું છે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સની સીમા 3 વર્ષની છે અને તેની પર 10.10 ટકાના દરે વ્યાજ આપવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં પતંજલિ આયુર્વેદે દેવાળિયું જાહેર કરાયેલી રૂચિ સોયાને 4350 કરોડ રૂપિયામાં ખરીદી.
કારોબારમાં વિવિધતા
પતંજલિ સમૂહ કપડાના કારોબારમાં પણ ઉતર્યા છે. વર્ષ 2018માં ધનતેરસના અવસરે બાબા રામદેવને દિલ્હીમાં પતંજલિ પરિધાન નામથી કપડાંના પહેલાં સ્ટોરનું ઉદ્ધાટન કર્યું હતું. દિલ્હીના નેતાજી સુભાષ પ્લેસમાં પહેલાં પતંજલિ પરિધાન શોરૂમનું ઉદ્ધાટન કરચાં રામદેવે ગારમેન્ટ બિઝનેસની પણ શરૂઆત કરી હતી.