સમગ્ર દેશ અને દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો તેની રસી શોધી રહ્યા છે ત્યારે પતંજલિ આયુર્વેદિક મેડિસિન્સ તરફથી પતંજલિ મંગળવારે Covid-19 દર્દીઓ પર રેન્ડમાઈઝ્ડ પ્લેસબો નિયંત્રિત ક્લિનકલ ટ્રાયલના પરિણામનો ખુલાસો કરશે.
દેશમાં કોરોનાના સતત વધી રહ્યા છે કેસ
પતંજલિ મંગળવારે કોરોનાની સાબિતી સાથે પહેલી આયુર્વેદિક દવાનો વૈજ્ઞાનિક રિપોર્ટ રજૂ કરશે
પતંજલિ યોગપીઠમાં આચાર્ય બાલકૃષ્ણ લૉન્ચ કરશે
દુનિયાભરમાં મહામારી બની ચૂકેલો કોરોના વાયરસના ઈલાજની અગણિત કોશિશો ચાલુ છે, પરંતુ તેના વચ્ચે બાબા રામદેવની સંસ્થાન પતંજલિ આવતીકાલે એટલે કે મંગળવારે કોરોનાની સાબિતી સાથે પહેલી આયુર્વેદિક દવા કોરોનિલને પૂર્ણ વૈજ્ઞાનિક રિપોર્ટ સાથે લૉન્ચ કરવા જઈ રહ્યું છે.
કોરોનાની આયુર્વેદિક દવા કોરોનિલને કાલે મંગળવારે બપોરે 1 વાગે હરિદ્વારના પતંજલિ યોગપીઠમાં આચાર્ય બાલકૃષ્ણ લૉન્ચ કરશે. આ અવસર પર બાબા રામદેવ પણ હાજર રહેશે.
પતંજલિ આયુર્વેદિક મેડિસિન્સ તરફથી પતંજલિ આવતાકીલે COVID-19 ના દર્દીઓ પર રેન્ડમાઈઝ્ડ પ્લેઝ્બો નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલના પરિણામના ખુલાસા કરશે.
આ ખુલાસા દરમ્યાન ક્લિનિકલ ટ્રાયલમાં શામેલ વૈજ્ઞાનિકો, શોધકર્તાઓ અને ડૉક્ટરોની ટીમ પણ હાજર રહેશે. આ શોધ સંયુક્ત રૂપથી પતંજલિ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂ (PRI), હરિદ્વાર અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (NIMS), જયપુર દ્વારા કરાયું છે.