પાટણના SDMનું મહત્વનું જાહેરનામું, 10ના સિક્કા નહીં સ્વીકારનાર સામે થશે કાર્યવાહી, રાજદ્રોહનો ગુનો લાગશે
પાટણમાં 10ના સિક્કાનો અસ્વીકાર કરનાર સાવધાન
ભારતીય નાણુ ન સ્વીકારનાર સામે થશે કાર્યવાહી
10ના સિક્કાનો અસ્વીકાર કરશો તો રાજદ્રોહનો ગુનો લાગશે
પાટણમાં રૂ.10ના સિક્કા નહિ સ્વીકારનાર સામે હવે લાગશે મોટો ગુનો પાટણ SDM સચિન કુમારે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પ્રસ્થાપિત નાની રકમ ની ચલણી નોટ અને સિક્કાઓ કેટલાક સ્થળે વેપારીઓ કે પછી પેટ્રોલ પમ્પ પર સ્વીકારવાની કેટલાક વ્યક્તિઓ આનાકાની કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે. જે બાદ આ નિર્ણય લેવો જરુરી હતો.
કેમ લેવાયો આ કડક નિર્ણય
મહત્વનું છે કે, પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા ચલણમાં મૂકવામાં આવેલા દસ રૂપિયાના સિક્કાનો અને નાની રકમની ચલણી નોટનો સ્વીકાર કરવામાં આવતો નથી.કેટલાક વેપારીઓ અને પેટ્રોલપંપ પર સ્વીકારવામાં આવતા નથી .આ પ્રકારની ફરિયાદ એક અરજદારે પ્રાંત અધિકારીને કરી હતી.આથી આ મામલે પેટ્રોલપંપના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભારતીય દંડ સહિતાની કલમ 124-એ મુજબ રાજદ્રોહની કાર્યવાહી થશે
સાથે જ પાટણ શહેરમાં રૂપિયા 10નો ચલણી સિક્કો કે રૂપિયા પાંચની ચલણી નોટ કે અન્ય કોઈ ભારતનું ચલણ ન સ્વીકારનાર સામે રાજદ્રોહનો ગુનો નોંધાશે તેવો પરિપત્ર નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.રિઝર્વ બેન્ક ની ચલણી 5 ની નોટ કે 10 રૂપિયા નો સિક્કો કોઈ વ્યક્તિ સ્વીકારવા ની ના કહે તો તેના પર ભારતીય દંડ સંહિતા કલમ - 124 એ મુજબ રાજદ્રોહનો કેસ બનાવવા માં આવશે. જોકે પાંચ રૂપિયાની નોટ કે દસના સિક્કા નહીં સ્વીકારનારા સામે રાજદ્રોહની કલમ લગાવવાની વાત સમગ્ર ગુજરાતમાં પહેલીવાર પાટણના એસડીએમ સચિન કુમાર દ્વારા કરવામાં આવી છે