એક તરફી પ્રેમમાં કેવા ઘાતક અંજામ આવતા હોય છે જેવા અનેક દાખલા આપણે જોતા આવ્યા છીએ જોકે પાટણ જિલ્લાના રાધનપુરનાં શેરગઢ ગામેં એક વિધર્મી યુવાને એક તરફી પ્રેમમાં યુવતી પર ઘાતકી હુમલો કર્યો છે
એક તરફી પ્રેમમાં યુવતી પર ધારદાર હથિયારથી હુમલો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને એવી તો ઘટનાને અંજામ આપ્યો કે સમગ્ર ગામની અને પાટણ જિલ્લાની શાંતિમાં પલીતો ચંપાયો છે. વાત વિસ્તારથી કરીએ તો શેરગઢ ગામે યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે ઘરે એકલતાનો લાભ લઇ તેનાજ ગામનો અને બાજુમાં રહેતો વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી જોકે બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકોએ હુમલાખોર વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો.
શેરગઢ ગામની આસપાસના પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ
ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે આવી જતા ઘરમા મોટા પ્રમાણમાં લોહી જોવા મળ્યું હતું. પોલીસને જાણ કરતા 108 દ્વારા ઘાયલ યુવતીને ધારપુર રેફરલ હોસ્પિટલ ખસેડી હતી જે જ્યાં વધુ સારવાર બાદ પાટણ ધારપુર હોસ્પિટલ ત્યારબાદ મહેસાણા ખસેડવામાં આવી હતી જોકે હુમલામાં વિધર્મી યુવાન યાસીન બલોચ પણ ઘાયલ થતા તેને પોલીસ બંદોબસ્ત માં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા જોતા પાટણ એસપી અક્ષયરાજ મકવાણાએ જિલ્લાની પોલીસ ટીમો રાધનપુરના શેરગઢ ગામેં ખડકી દેવાઈ હતી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે રાધનપુર તેમજ શેરગઢ ગામ ખાતે પોલીસ પેટ્રોલિંગ અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ
વિધર્મી યુવાન દ્વારા હિન્દુ યુવતી ઉપર આબરૂ લેવાની કોશિશ તેમજ જીવલેણ હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે હિન્દુ સંગઠનો દ્વારા પણ આવતીકાલે રાધનપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યુ છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. રાધનપુર આદર્શ વિદ્યાલયથી સવારે 11 વાગે કાલે શાંતિપૂર્વક રેલીનું પણ આયોજન છે. રાધનપુર મામલતદાર સહિતના અધિકારીઓ શેરગઢ ગામે જઇ શાંતિ સમિતિની બેઠકો યોજી બન્ને સમાજના આગેવાનો સાથે સુલેહ અને શાંતિ જળવાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા એસ.પી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે હાલ યુવતીની તબીયત સ્થિર છે તેમજ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શેરગઢ ગામમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે.