રાધનપુરનાં શેરગઢ ગામે યુવતી પર હુમલાના મામલામાં નવો વળાંક આવ્યો છે.
રાધનપુરમાં યુવતી પર હુમલાના કેસમાં વળાંક
યુવતી-યુવક એકબીજાથી પરિચિત હતા- SP
પૈસાની લેતી દેતીની બાબત પણ આવી સામે
આ કેસમાં યુવક પર એક તરફી પ્રેમ હોવાને કારણે હુમલો કરાયો હોવાનો આરોપ લાગ્યો હતો.પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, યુવક તથા યુવતી લાંબા સમયથી એકબીજાથી પરિચિત હતા.
પૈસાની લેતી દેતીની બાબત હુમલો થયાનું ખુલ્યું
તપાસમાં બન્ને વચ્ચે પૈસાની લેતી દેતીનો એંગલ પણ ખુલ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર યુવક દ્વારા યુવતી પર હુમલો કરાયાની વાત સાચી છે.આથી આરોપી યુવક વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ પોલીસની ટેક્નિકલ સર્વેલન્સની તપાસમાં સામે આવ્યુ છે કે, બન્ને વચ્ચે લાંબા સમયથી સંબંધ હતા તથા પૈસાની લેતી દેતીની બાબત સામે આવી છે.
ઘટના શું હતી ?
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને શેરગઢ ગામે યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે ઘરે એકલતાનો લાભ લઇ તેનાજ ગામનો અને બાજુમાં રહેતો વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી જોકે બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકોએ હુમલાખોર વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો. બાદમાં સ્થાનિકોએ હુમલો કરનાર યાસીન બલોચ પોલીસને સોપી દીધી હતો
શેરગઢ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
જ્યારે ઘાયલ યુવતીને વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, હજી સુધી હુમલાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ ગ્રામજનોએ યાસીન બ્લોચને પકડી રાખ્યો હતો.પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બીજી તરફ આરોપીનો પરિવાર ગામ છોડીને ફરાર થઈ ગયો છે.
એક તરફી પ્રેમમાં યુવતી પર ધારદાર હથિયારથી હુમલો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને એવી તો ઘટનાને અંજામ આપ્યો કે સમગ્ર ગામની અને પાટણ જિલ્લાની શાંતિમાં પલીતો ચંપાયો છે. વાત વિસ્તારથી કરીએ તો શેરગઢ ગામે યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે ઘરે એકલતાનો લાભ લઇ તેનાજ ગામનો અને બાજુમાં રહેતો વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી જોકે બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકોએ હુમલાખોર વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો.
રાધનપુરમાં આજે સજ્જડ બંધનું એલાન
રાધનપુરના શેરગઢ ગામમાં હિન્દુ દિકરી પરના હુમલાને લઇ સમગ્ર પથંકમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આ અંગે રાધનપુર આદર્શ વિદ્યાલયમાં હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં બેઠક થઈ હતી. જેમાં રાધનપુર સજ્જડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજે રાધનપુરમાં વહેલી સવારથી ગામના લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યો હતો. તેમજ હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં આજે 11 મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ સમાજના તમામ સંગઠનો આ મહા રેલીમાં જોડાશે અને યુવતીને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવશે.