આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ સુધી રાણીની વાવની મુલાકાત લેનારને નિશુલ્ક એન્ટ્રી આપવામાં આવી રહી છે. આથી રાણીની વાવની મુલાકાત લેવાનો અમૂલ્ય અવસર છે.
પાટણની રાણીની વાવ ખાતે 15 ઓગસ્ટ સુધી નિશુલ્ક પ્રવેશ
આઝાદીના 75 વર્ષ નિમિત્તે નિશુલ્ક પ્રવેશ આપશે
સહેલાણીઓનો વધ્યો ધસારો
દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાટણમાં સરકારે પાટણની વર્લ્ડ હેરીટેજ સાઈટ એટલે કે રાણીની વાવમાં પ્રવાસીઓ માટે એન્ટ્રી ફ્રી કરી દેવામાં આવી છે. આ એન્ટ્રી 15 ઓગસ્ટ સુધી ફ્રી રહેશે. એટલે કે પાટણની રાણીની વાવ જોવા જવા માગતા હોય તો 15 ઓગસ્ટ સુધી ફ્રીમાં પ્રવેશ મળશે. તો બીજી તરફ રાણીની વાવ જોવા આવેલ સહેલાણીઓએ પણ એન્ટ્રી ફ્રી હોવાથી ચહેરા પર ખુશી જોવા મળી હતી.
દેશભરમાંથી ઉમટી પડે છે સહેલાણીઓ
રાણીની વાવનું વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે. ત્યારે દેશભરમાંથી અને વિશ્વમાંથી રાણીની વાવ જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને પગલે સરકાર દ્વારા દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અનેક હેરિટેજ સ્થળો પર એન્ટ્રી ટિકિટ નિશુલ્ક કરી દેવામાં આવી છે. તો રાણીની વાવમાં પણ એન્ટ્રી ફ્રી કરી દેતા હવે સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે. રાણીની વાવ જોવા માટે ભારતીય પ્રવાસીઓ માટે 40 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને વિદેશી સહેલાણીઓ માટે 600 રૂપિયા એન્ટ્રી ફી છે. પથ્થરની કલાકૃતિઓનું આબેહૂબ સ્થાપત્ય જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા છે.
રાણીની વાવ જોવાનો અમૂલ્ય અવસર
પાટણની રાણની વાવ ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક છે. જ્યાં વાર્ષિક 3 લાખથી વધુ મુલાકાતીઓ આવતા હોય છે. રાણીની વાવને ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હોવાનો ઉલ્લેખ "પ્રબંધ ચિંતામણિ"માં આવે છે. આ વાવ ૬૫ મીટર લાંબી અને ૨૦ મીટર પહોળી છે. કૂવાનો ભાગ ૨૮ મીટર ઊંડો છે. વાવના કૂવાની દિવાલોમાં દેવીદેવતાઓના શિલ્પો તથા શેષશાયી વિષ્ણુનું ઉત્કૃષ્ઠ શિલ્પ બેનમૂન છે સમગ્ર દેશ અને દુનિયાભરમાંથી સહેલાણીઓ રાણીની વાવની મુલાકાતે આવતા હોય છે જે પાટણની ઓળખ અને પાટણનું ઘરેણું સમાન છે.