રામમંદિર નિર્માણમાં દાન આપવામાં પાટણનું આ યુગલની ચર્ચા ચારેકોર છે જાણો કેમ
રામ મંદિરના નિર્માણ માટે રૂા. 1,51, 000નું દાન આપ્યું
મંદિર નિર્માણનો નિર્ણય જલદી આવે તે માટે રાખી હતી બાધા
આ દંપત્તિ અયોધ્યા જઈ આવ્યું છે
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ ( VHP ) દ્વારા દેશભરમાંથી દાન ઉઘરાવવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું દાન નોંધાઈ ચુક્યુ છે પરંતુ સૌથી વધુ ચર્ચીત કિસ્સો એક ગુજરાતી મુસ્લિમ દંપત્તિનો છે. આ દંપત્તિએ રામ મંદિરના નિર્માણ માટે રૂા. 1.51 લાખનું દાન આપ્યું છે.
રામ મંદિરના નિર્માણ માટે રૂા. 1,51, 000નું દાન આપ્યું
ગુજરાતમાં રામમંદિર માટે અત્યાર સુધીમાં 31 કરોડ રૂપિયા જમા થઈ ચુક્યા છે ત્યારે સૌથી વધુ ચર્ચામાં પાટણનું ડોક્ટર દંપત્તીએ આપેલું દાન છે. જી હા ડોક્ટર હામિદ મંસૂરી અને મુમતાઝ મંસૂરીએ રામ મંદિરના નિર્માણ માટે રૂા. 1,51, 000નું દાન આપ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 31 કરોડનું દાન VHP દ્વારા રામમંદિરના નિર્માણ માટે એકઠું થઈ ચૂક્યું છે. ત્યારે પાટણના મુસ્લિમ સમુદાયનું ડોક્ટર યુગલ ડોક્ટર હામિદ મંસૂરી અને મુમતાઝ મંસુરીએ અનોખી પહેલ અને ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેમણે માનવતા અને ભાઈચારાનું ઉત્તમ દાખલો સમાજમાં બેસાડ્યો છે.
પાટણમાંના રહેવાસી મંસુરી દંપત્તિએ ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે પોતાની તીજોરીના દરવાજા ખોલી દેતા હિન્દુ ભાઈ-બહેનોમાં પણ હરખના આંસૂ આવ્યા છે.
આ દંપત્તિ અયોધ્યા જઈ આવ્યું છે
આ મંસૂરી દંપત્તિ અયોધ્યા પણ જઈને આવ્યું છે. તેમને ખુદ રામમંદિર પ્રત્યે શ્રદ્ધા છે. તેમની આસ્થામાં માનવતા છે. તેઓ રામમંદિરમાં જઈને દર્શન કરી આવ્યા છે. મુમતાજ મંસૂરીએ બાધા રાખી હતી કે, જલદી તે મંદિરનું નિર્માણ શરૂ થઈ જાય અને જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો આ દંપત્તિ દાન આપવામાં પણ પીછે હઠ નથી કરી રહ્યું.
અયોધ્યા સિવાય પણ આ ડોક્ટર દંપતિ ભારતમાં ઘણા મંદિરોમાં દર્શને જઈ આવ્યું છે. પોતે મુસ્લિમ હોવા છતાં તેઓ ધર્મમાં કોઈ ભેદભાવ નથી માનતા. દંપત્તિનું કહેવું છે કે, માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે. અને અમે ભારતીય છીએ અમને ભારતીય હોવા પર ગર્વ છે.
શું રાખી હતી બાધા
હામિદ મંસૂરી અને મુમતાજ મંસૂરીએ જણાવ્યું હતુ કે, રામમંદિરના નિર્માણ અંગે જ્યારે નિર્ણય નહોતો આવ્યો ત્યારે મેં બાધા રાખી હતી અને જુઓ નિર્ણય આવી ગયો. હું ખરેખર ભાગ્યશાળી છું.