પાટણમાં કોઇ ગુનામાં પોલીસે ટ્રેક્ટર સાથે અટક કરેલા યુવકનું ઝપાઝપીમાં મોત, તો ભાવનગરમાં જેલરે કેદીઓને માર મારી પૈસા માંગ્યા હોવાનો આક્ષેપ
પાટણના ખલીપુર ગામ પાસે યુવકનું મૃત્યુ
પોલીસે પકડેલા યુવકનું નિપજ્યું મૃત્યુ
કોઇ ગુનામાં પોલીસે યુવકની ટ્રેક્ટર સાથે કરી હતી અટક
અવારનવાર પોલીસ દ્વારા સામાન્ય બાબતે માર મારવાની ઘટનાઓ પ્રકાશિત થતી રહે છે. ત્યારે પાટણના ખલીપુર ગામ પાસે પોલીસે પકડેલા યુવકનું મોત થઈ જતાં ચકચાર મચી છે. કોઈ ગુનામાં પોલીસે યુવકની ટ્રેક્ટર સાથે અટકાયત કરી હતી તે દરમિયાન બનેલો આ બનાવ પોલીસની કાર્યશૈલી સામે આંગળી ચીંધી રહ્યો છે.
માર મારતા યુવકનું નીચે પડી જવાથી મૃત્યુ થયાનો આક્ષેપ
પાટણના ખલીપુર ગામ પાસે ચાલુ ટ્રેક્ટરે પોલીસે યુવકને માર માર્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. કોઇ ગુનામાં પોલીસે યુવકની ટ્રેક્ટર સાથે અટક કરી હતી પણ ગ્રામજનોના આરોપ મુજબ ઉગ્ર રીતે થયેલી બોલાચાલી બાદ પોલીસે ચાલુ ટ્રેક્ટરે માર મારતા યુવકનું નીચે પડી જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના ઘટયા બાદ આસપાસના લોકો અને યુવકના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયો હતા. અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપ કર્યા હતા. ગ્રામજનો એકઠા થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. પણ સમગ્ર મામલે પોલીસને સવાલો કરવામાં આવતા હાલ મૌન સેવી રહ્યા છે.
ભાવનગરમાં જેલરે કેદીઓને માર્યો ઢોર માર
તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં કેદીઓને માર માર્યો હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. તળાજાના 2 કેદી જૂનાગઢ જેલમાંથી ભાવનગર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે બનેલા બનાવમાં જેલર અને અન્ય જેલ પોલીસે બંને યુવકોને ઢોર માર માર્યો હતો. જે બાદ કેદીઓ અને પરિવાર સમક્ષ જેલરે પૈસા માંગ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ બંને ઘટનાઓ ગુજરાત પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી રહી છે. પોલીસ લોકોને કાયદાનું ભાન કરાવે છે પણ અહિયાં ઊલટું પોલીસ જ સરેઆમ કાયદાને ખિસ્સાનો ગોળ સમજી મનફાવે તેમ વર્તન કરી રહ્યા હોવાનો આરોપ લાગી રહ્યા છે. બંને કિસ્સાના આરોપ મુજબ પોલીસ વર્તન સામે સઘન તપાસની જરૂર છે.
શું કહેવું છે જેલ અધિકારીઓનું?
ભાવનગર જિલ્લા જેલમાં જૂનાગઢ થી ટ્રાન્સફર થઇ ને આવેલા 4 કેદી અને ભાવનગર જિલ્લા જેલના સિપાઈ વચ્ચે મારામારી નો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે કેદીઓ ના પરિવારજનો નો આરોપ છે કે કે જેલર તેમ,જ સિપાઈએ અમારા સંબંધીઓને જેલમાં માર મારી ટોર્ચર કરી તમારે અહીં સજા કાપવી હોઈ તો પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું બીજી બાજુ જેલ સત્તવાળા ઓનું કહેવું છે કે કોઈ કેદી ને મારમારવામાં નથી આવ્યો પરંતુ આ કેદીઓ એ ગત મોડી રાત્રીએ સ્ટાફ સાથે બોલાચાલી કરી તેમને મારમારી સિપાઈ ના કપડાં પણ ફાડી નાખ્યા હતા આ મામલે જેલ સત્તાવાળાઓએ કેદીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે. તળાજા ના નિહાલ ભુરાણી ,નૌશાદ ભુરાણી,અબ્બાસ ભુરાની ,અને વિશાળ ભુરાની ગઈકાલે જૂનાગઢ થી ભાવનગર આવ્યા હતા અને આવતા ની સાથે જ બબાલ થી હતી પરિવારજનો એ જેલ સતાવાળા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હાલ 2 ઈજાગ્રસ્ત કેદીઓ ને સિવિલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.