બનાસકાંઠા: રાજ્યમાં એક તરફ પાણીની તંગી જોવા મળી રહી છે. તેમ છતાં અનેક જિલ્લાઓમાં કેનાલમાં ગાબડાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે પાટણના રાધનપુરમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે.
સાંથળી ડિસ્ટ્રીબ્યુટરના જાવંત્રી ગામ પાસે કેનાલમાં 8 ફૂટનુ ગાબડું પડ્યુ છે. કેનાલમાં ગાબડું પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલના બાંધકામમાં હલકી ગુણવત્તાના કામને લઈને અનેક સવાલ ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ તરફ બનાસકાંઠાના વાવમાં ભાખરી પાસેથી પ્રસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હતું. નર્મદાની કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
ગાબડું પડતાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન પણ થયો છે. 4 એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યું છે. હલકી ગુણવતાના કામથી ગાબડાં પાડવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ વારંવાર કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો રહ્યો છે. થોડા સમયગાળા પહેલા બનાસકાંઠાના ચોથાનેસડા ગામ ખાતે તો આ તરફ પાટણના જ હામીરપુર ખાતેની કેનાલમાં ગાબડું પડતા કેનાલના પાણી ઠેર-ઠેર ફરી વળ્યા હતા.