પાટણ જિલ્લા કલેક્ટર કચેરી આગળ જમીન બાબતે સરકારી બહાનાબાજીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કરનારા દલિત આગેવાને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. તેઓ શરીરે 70 ટકા દાઝી ગયા હતા અને એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. ત્યારબાદ તેમના મૃત દેહને ઊંઝા લઈ જવામાં આવશે.ઘટનાને પગલે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મેમ્બર રાજુ પરમારની ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ આયોગની બેઠક મળી હતી જેમાં કલેક્ટર પાટણ એસ.પી. અને સ્થાનિક દલિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવા ચર્ચા હાથ ધરાઈ હતી.