ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આમ રાજ્યમાં કોરોનાને લઇને તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાના અહેવાલ પણ મળતા હોય છે. આમ કોરોનાને લઇને મહેસાણાના પાટણથી સામે આવેલા સમાચારથી ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
પાટણ નેદ્રા ગામે સ્વસ્થ થયેલ બે દર્દીઓ ફરીથી કોરોના પોઝિટિવ
બે દર્દીઓના સેમ્પલ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા
રાજ્યમાં કોરોનાને લઇને પાટણથી ચિંતાજનક સમાચાર આવ્યાં છે. જેમાં પાટણના નેદ્રા ગામે સ્વસ્થ થયેલા બે દર્દીઓ ફરીથી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર પાટણના નેદ્રા ગામના બે દર્દીઓના સેમ્પલ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. જો કે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓના ફોલોઅપ સેમ્પલ લેવામાં આવતા પોઝિટિવ આવ્યાં છે.
આમ જે દર્દીઓનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. બે દર્દીઓના સેમ્પલ નેગેટિવ બાદ પોઝિટિવ આવ્યાં બાદ તેઓને કોરોન્ટાઇનમાંથી ફરી ધારપુર મેડિકલ કોલેજ ખાતે દાખલ કરાયા છે. આમ સાજા થયેલ બે દર્દીમાં ફરીથી કોરોના ઉથલો માર્યો છે.