APMCનાં ચેરમેન ભગવાન ચૌધરી ભૂતકાળમાં પણ સપડાયા છે કૌભાંડમાં, રાયડામાં પણ આ રીતે ઘાલમેલ કરી હોવાના જૂના ચોપડા ખૂલ્યા
ચણા ખરીદી કૌભાંડ મામલે ખુલાસો
ભગવાન ચૌધરીનો ભૂતકાળ ખરડાયેલો
રાયડા કૌભાંડમાં પણ આવ્યું હતું નામ
પાટણના હારીજ APMCમાં ચણા ખરીદી કૌભાંડનો મામલે ભગવાનભાઈ ચૌધરી નો ભૂતકાળ ખરડાયેલો હોવાનું સામે આવ્યું છે. અંદાજે 7 વર્ષ પહેલાં ધી હારીજ તાલુકા સહકારી વેચાણ સંઘ દ્વારા રાયડા કૌભાંડ થયું હતું ત્યારે પણ APMCનાં વેચાણ સંઘના ચેરમેન ભગવાન ચૌધરી જ હતા. જેતે વખતે સરકારે કરી હતી ફરિયાદ અને તપાસ પણ કરી હતી. પણ ચોરને જ ઘરની રખેવાડી સોંપી હોય તેમ કૌભાંડના આરોપ બાદ પણ હારીજ APMCના ચેરમેન તરીકે ભગવાન ચૌધરી સત્તારૂઢ થયા હતા.અને હવે રાયડામાં ઘાલેમેલમાં બાદ ચણા ખરીદીમાં કૌભાંડના આરોપ લાગી રહ્યા છે.
હારીજ APMCના સેક્રેટરી નરસિંહભાઈ ચૌધરીએ શું કહ્યું?
અંદાજે 7 વર્ષ પહેલાં ગુજકો માસોલના નેજા હેઠળ ધી હારીજ તાલુકા સહકારી વેચાણ સંઘ દ્વારા રાયડાણી ખરીદી થઈ હતી. તેમાં પણ ખેડૂતો સિવાયનો માલ ભરાયો છે એ શંકાના આધારે તપાસ સરકારે કરેલી અને જે તે કેસોની હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જજમેંટ બાકી છે. ત્યારે પણ હારીજ APMCના વેચાણ સંઘના ચેરમેન પર સત્તામાં હતા.
ભગવાન ચૌધરી 10 જેટલી મંડળીઓ ખોટી ચલાવે છે: અરજદાર કાનજી દેસાઇ
સમગ્ર મામલે અરજદાર કાનજી દેસાઇ પણ મીડિયા સમક્ષ આવ્યા હતા અને ચણાની ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે સાંકરા ગામના ખેડૂતોના નામે ખોટી રીતે ચણાની ખરીદી દર્શાવી છે. હારીજ APMCના ચેરમેન ભગવાન ચૌધરી સાંકરા ગામના છે તેથી સાંકરા ગામમાં 85 ખેડૂતનું બોગસ રજિસ્ટ્રેશન કરાયું છે આ સાથે જ કહ્યું હતું કે આ ગામમાં ચણાનું વાવેતર જ નથી થયું પણ ખોટી રીતે ખેડૂતો દર્શાવ્યા છે. ભગવાન ચૌધરી 10 જેટલી મંડળીઓ ખોટી ચલાવતા હોવાના આક્ષેપ કર્યો હતો.તેમજ અરજદાર કાનજી દેસાઇએ દાવા સાથે કહ્યું હતું કે ખોટી મંડળીઓના રેકર્ડ લઇ ગયા છે. CCTV કેમેરા તપાસવામાં આવે.
ચણાની ખરીદીમાં કૌભાંડ કેવી રીતે થયું?
ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાની વિગતો મળી રહી છે. ત્યારે હારીજ APMC દ્વારા ચણાની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની એક્સ્લુસિવ માહિતી VTV પાસે આવી છે. ચણાની ખરીદીનું કામ જે મંડળીને સોંપવામાં આવ્યું હતું તે મંડળી APMCના ચેરમેનની હોવાની વિગતો પ્રાપ્ત થિ છે. ચણાની કરીદી માટે જે મંડળીને કામ સોંપાયુ તે મંડળીના પ્રમુખ ભગવાન ચૌધરી છે જે APMCના પણ ચેરમેન છે. મંડળી દ્વારા ખેડૂતોનું ખોટુ રજિસ્ટ્રેશન કરી ચણાની ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતોના નામે રૂપિયા પણ ચૂકવી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. હારીજ પંથકમાં 14 ગામોમાં ચણાનું વાવેતર જ કરવામાં નથી આવ્યું તે છતાં ચણાની ખરીદી કેવી રીતે થઇ એ સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થઇ રહ્યો છે. કૌભાંડ બહાર આવતા APMCના ચેરમેન ભગવાનભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
રાજુજી ઠાકોર હાલ અડીયા ગામમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે
પાટણના MLAએ ચણાની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ લગાવ્યાં હતાં.
ઉલ્લેખનયી છે કે, પાટણના હારિજ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલી રહી છે ત્યારે અહીં ખેડૂતોના નામે ખોટી ખરીદી થતી હોવાના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યા હતા. કિરીટ પટેલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોએ વાવણી ન કરી હોવા છતા ખરીદી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યાં ચણા નથી થતા ત્યાં નકલી ખેડૂતોએ ચણા વેચ્યા છે. ખેડૂતોના મારા પર ફોન આવ્યા હતા કે એક પણ ખેડૂત અહીં ચણાની વાવણી કરતો નથી, ખેડૂતોના નામે ખોટી ખરીદી થાય છે તેવા કિરીટ પટેલે આક્ષેપ કર્યા હતાં. હારીજના સોખડા અને અડિયા ગામના ખેડૂત બની કૌભાંડ આચર્યું છે. કૃષિ મંત્રીએ પણ વિધાનસભામાં વાત સ્વીકારી તે ઘટના બની છે.
કૃષિ મંત્રીએ જિલ્લા કલેકટરને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા
ચણાીન ખરીદીમાં થયેલી ગેરરીતિ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, પાટણના હારીજમાં ચણા ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ મળી છે. તંત્રને સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ગેરરીતિ માલુમ પડશે તો જવાબદારો સામે પગલાં લેવાશે.