રક્ષાબંધનના દિવસથી કેટલીક રાશિના જાતકોનું સૂતેલુ નસીબ જાગશે. 10 ઑગષ્ટ પછી શરૂ થશે સારા દિવસો
મંગળ કરશે રાશિ પરિવર્તન
10 ઑગષ્ટે મેષ રાશિમાંથી કરશે ગોચર
રક્ષાબંધનથી કેટલીક રાશિના જાતકોને ફાયદો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ બદલે કે પછી વક્રી થાય ત્યારે તેની અસર તમામ રાશિઓના જીવન પર જોવા મળે છે. દરેક રાશિના લોકોના જીવન પર તેની શુભ કે અશુભ અસર પડે છે. 10 ઓગસ્ટે મંગળ ગ્રહ મેષ રાશિમાંથી પસાર થવા જઈ રહ્યો છે. મંગળનું સંક્રમણ થતાં જ આ સમય ઘણી રાશિઓ માટે દુ:ખથી ભરેલો રહેશે. તો કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે. 11 ઓગસ્ટ એ શ્રાવણી પૂનમ છે. આ દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. 10 ઓગસ્ટે મંગળના ગોચર પછી કેટલીક રાશિના
સારા દિવસો શરૂ થશે.
સિંહ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે આ સંક્રમણ શુભ સાબિત થવાનું છે. તમે જે પણ કામમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે. આર્થિક પ્રગતિની શક્યતાઓ છે. સાથે જ પરાક્રમ અને હિંમતમાં વધારો થવાની સંભાવના છે.
વૃષભ
આ રાશિમાં મંગળનું પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે. આ સમય દરમિયાન દુશ્મનોનો પરાજય થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો નફો થશે. તમે કોઈ જૂના વિવાદથી છુટકારો મેળવી શકો છો.
તુલા
આ રાશિના લોકોને આ સમયગાળામાં ધનલાભ થવાની સંભાવના છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમને કાયદાકીય બાબતોમાં સફળતા મળી શકે છે.
કર્ક
મંગળનું સંક્રમણ તમારા માટે પણ શુભ રહેશે. તમે કોઈપણ જૂના દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. નોકરીમાં પ્રમોશન મળશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર લોકોનો સહયોગ મળશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.
કુંભ - પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. આ દરમિયાન નવું વાહન કે મકાન વગેરે મળવાની સંભાવના છે.