રાજસ્થાન ગુજરાત બોર્ડર પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. વિજયનગરના રાણી બોર્ડરને ફરી સીલ કરાઈ છે. રાજસ્થાનમાં વધુ 15 દિવસ લોકડાઉન વધતા રાણી બોર્ડરને સીલ કરાઈ છે. બંને રાજ્યોના પોલીસ, આરોગ્ય વિભાગ સઘન ચેકિંગ કરી રહી છે.ગુજરાતથી રાજસ્થાન તરફ આવતા મુસાફરો માટે RT PCR રિપોર્ટ ફરજિયાત કરાયો છે. RT-PCR નેગેટિવ રિપોર્ટ નહીં હોય તે લોકોને રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
કોરોનાની સામે જંગ લડી રહેલા રાજસ્થાનમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે. હવે રાજસ્થાનમાં 8 જૂન સુધી લોકડાઉન રહેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરતા કહ્યું કે પ્રદેશવાસીઓની જિંદગી માટે લોકડાઉન જરૂરી છે. જેથી 24 મેથી 8 જૂન સુધી થ્રી ટાયર લોકડાઉન લાગુ રહેશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં છેલ્લા એક દિવસમાં 6521 નવા કેસ નોંધાયા છે. અને 113 લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં કોરોના અને મ્યુકર્માઈકોસિસની સ્થિતિ
કોરોનાની મહામારીના કારણે હાઈકોર્ટમાં સુઓમોટોની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી..સરકારના વકીલે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. અને હાઈકોર્ટમાં 54 પાનાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.. સરકારે રજૂ કર્યુ છે કે, મ્યૂકરમાઇકોસિસ અને કોરોના સારવાર અંગે જવાબ રજૂ કર્યો છે. આશરે 65 પેનાના સોગંદનામામાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે.
મ્યૂકરમાઇકોસિસ માટેના ઇન્જેક્શનના જથ્થા બાબતે સરકારે સ્પષ્ટતા કરી છે. અને કહ્યું છે કે, ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો છે કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપે છે તેટલા જ રાજ્યોમાં મળી રહ્યા છે. હાલ કોરોનાની ગામમાં વધતા ટેસ્ટીંગની સુવિધા પણ વધારી હોવાની રજૂઆત કરી હતી. રસીકરણનું કામ ખુબ સારું અને ઝડપી ચાલી રહ્યું છે ત્યારે નારી સંરક્ષણગૃહ,બાળ સંરક્ષણ ગૃહ, વૃદ્ધાશ્રમમાં કામ કરતા લોકોને રસી આપી છે. આ જવાબને લઈને આગામી સુનાવણી બુધવારે હાથ ધરાશે.