મુંબઇથી જયપુર જઇ રહેલી જેટએરવેઝની ફ્લાઇટમાં એક મોટી ઘટના થતા બચી ગઇ. ક્રૂ મેમ્બર્સની એક ભૂલના કારણે ફ્લાઇટને યાત્રાની વચ્ચે મુંબઇ પરત ફરવું પડ્યું. વાસ્તવમાં ક્રૂ મેમ્બર કેબિનનું પ્રેશર સ્વિચ મેન્ટેન કરવાનું ભૂલી ગયો હતો જેના કારણે આ દુર્ઘટના થઇ.
ફ્લાઇટમાં આશરે 166 યાત્રી સવાર હતા. ક્રૂ મેમ્બર્સની આ ભૂલના કારણે આશરે 30 યાત્રીઓને નાક અને કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. આ ઉપરાંત કેટલાક યાત્રીઓને માથાના દુખાવાની ફરિયાદ છે. તમામની સારવાર મુંબઇની એરપોર્ટ પર ચાલી રહી છે.
Panic situation due to technical fault in @jetairways 9W 0697 going from Mumbai to Jaipur. Flt return back to Mumbai after 45 mts. All passengers are safe including me. pic.twitter.com/lnOaFbcaps
જણાવી દઇએ કે જેટએરવેઝનું B737ની 9W 697 ફ્લાઇટ મુંબઇથી જયપુર માટે રવાના થઇ રહી હતી. જે દરમિયાન કેબિન ક્રૂ એ સ્વિચ જ ઓન કરવાનું ભૂલી ગયો જેનાથી ઓક્સીજન મેન્ટેન થઇ શક્યું નહીં. ઘટના બાદ DGCA એ ક્રૂ-મેમ્બર્સને રોસ્ટરથી હટાવી દીધા છે. સાથે જ બે પાયલોટને હટાવી દીધા છે.
આ ઘટના બાદ જેટએરવેઝનું કહેવું છે કે ફ્લાઇટને મુંબઇ પરત લાવવામાં આવી છે. એ દરમિયાન ફ્લાઇટમાં 166 યાત્રીઓ 5 ક્રૂ મેમ્બર્સ હાજર હતા. જે યાત્રીઓને તકલીફ થઇ છે એમની સારવાર થઇ રહી છે.