રેલવે સ્ટેશનો ઉપર આધારકાર્ડથી જોડાયેલી સેવાઓ મુસાફરો મેળવી શકશે. પ્રથમ ચરણમાં પશ્ચિમ રેલવેનાં છ મંડળનાં ર૦ સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે,
રેલવે સ્ટેશન પર આધાર સેન્ટરો ખોલવાની તૈયારીઓ શરૂ
ડિજિટલ ઈન્ડિયાઃ રેલવે સ્ટેશનમાં મુસાફરો હવે આધારકાર્ડ બનાવી શકશે
ટ્રેનના મુસાફરો પણ નવું આધારકાર્ડ બનાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ભારતીય રેલવેમાં દેશના ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે હવે આ શક્ય બનશે, તેમાં રેલવે સ્ટેશનો ઉપર આધારકાર્ડથી જોડાયેલી સેવાઓ મુસાફરો મેળવી શકશે. પ્રથમ ચરણમાં પશ્ચિમ રેલવેનાં છ મંડળનાં ર૦ સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે, તેમાં ગુજરાત રાજ્યનાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર સહિત ૧૦ રેલવે સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. મુંબઈ હેડક્વાર્ટરના નિર્દેશ બાદ રેલવેના વાણિજ્ય વિભાગે આધારકાર્ડ કાઉન્ટર ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે.
આધાર કાર્ડ બનાવી અપાશે
રેલવે દ્વારા યાત્રિકોને વધુને વધુ સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે ભારતીય રેલ્વે મુસાફરોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સ્ટેશનો પર રેલવે સ્ટેશન પર આધાર કાર્ડ કાઉન્ટર ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો સ્ટેશનો પરથી જ આધાર કાર્ડ બનાવી અથવા સુધારા વધારા કરી શકશે. આ સેવા નિશુલ્ક રહેશે. જે ગુજરાતના પણ 10 સ્ટેશનો સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
20 સ્ટેશનો પર શરૂ થશે કાર્યવાહી
ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ભારતીય રેલ્વે દ્વારા મધ્યપ્રદેશ સહિત 20 સ્ટેશનો પર આધાર કાર્ડ કાઉન્ટર ખોલવામાં આવશે. જયાંથી આધાર-સંબંધિત સેવાઓ આપવામાં આવશે. પ્રથમ આ સેવા પશ્ચિમ મધ્ય રેલવેના 6 વિભાગના 20 સ્ટેશનો પર શરૂ થશે. પ્રથમ રાઉન્ડ માટે શરૂ કરાયેલ આ સેવામા રતલામ, ઈન્દોર અને ઉજ્જૈન સ્ટેશનનો સમાવેશ થાશે. જેથી કોઈ કારણસર હજુ સુધી આધાર કાર્ડ બનાવી ન શકનાર માટે ઉપયોગી નીવડશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સહકારથી રેલવે વિભાગ આ આધાર કાર્ડ કાઉન્ટર્સ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જેનું સંચાલન રેલવે દ્વારા કરવામાં આવશે.