વિદેશ યાત્રાથી ભારત પરત ફરનાર લોકો માટે આજથી નવો નિયમ અમલમાં આવી રહ્યો છે. યાત્રા શરુ કરવા પહેલા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની નવી ગાઈડલાઇન્સ અંગે જાણી લો.
કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ યાત્રા કરી શકશો
લક્ષણ વગરના યાત્રીઓ જ કરશે મુસાફરી
આજ રાતથી નવા નિયમો અમલમાં આવશે
આગામી આદેશ સુધી અમલમાં રહેશે નિયમ
થોડા દિવસોથી દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વિદેશ યાત્રાથી ભારત આવનાર લોકો માટે નવા નિયમો લાગુ કર્યાં છે. નવા નિયમો 22 ફેબ્રુઆરીથી રાત્રે 11.59 કલાકથી લાગુ કરવામાં આવશે અને આગામી આદેશ સુધી તે અમલમાં રહેશે.
આવા રહેશે નવા નિયમો
-વિદેશથી આવતા દરેક યાત્રીઓએ કોવિડ-19 માટેનું આવેદન પત્ર યાત્રાનાં નિર્ધારિત સમય પહેલા ઓનલાઇન એર સુવીધા પોર્ટલ પર ભરવુ પડશે.
-યાત્રીઓએ નવી દિલ્હી એરપોર્ટનાં ઓનલાઇન પોર્ટલ પર ડિક્લેરેશન ફોર્મની સાથે પ્રમાણિક આરીટીપીસીઆરનો નેગેટિવ કોવિડ-19 રિપોર્ટ અપલોડ કરવો પડશે.
-કોરોના વાયરસની તપાસની રિપોર્ટ હવાઈ યાત્રા શરુ કરતા પહેલા 72 કલાક પહેલાનો હોવો જોઈએ.
-ફક્ત લક્ષણ વગરનાં યાત્રીઓને જ થર્મલ સ્ક્રીનિંગ બાદ ઉડાન ભરવાની પરવાનગી મળશે.
-નેગેટિવ રિપોર્ટ વગર ભારત પહોંચવા પર પરિવારમાં કોઈનું મૃત્યુ થયુ હશે તો જ મુસાફરને પરવાનગી મળશે.
-છૂટ મેળવવા માટે યાત્રીઓને ઓનલાઇન પોર્ટલ પર યાત્રાથી 72 કલાક પહેલા આવેદન કરવું પડશે.
-આ નિયમ સમુદ્રી માર્ગથી યાત્રા કરનાર પર પણ લાગુ પડશે પણ તેઓ ઓનલાઇન રજિસ્ટ્રેશનનો લાભ નહીં ઉઠાવી શકે.
-બ્રિટન, યુરોપ અને દક્ષિણ આફ્રિકાથી પહોંચનાર યાત્રીઓને કંપની તરફથી વિમાનમાં અલગ કરવુ પડશે.
-બ્રિટન, યુરોપ કે દક્ષિણ એશિયાથી ભારત આવનાર મુસાફરોને સ્વખર્ચે મોલિક્યુલર તપાસ કરાવવી પડશે.
-એરપોર્ટની બહાર નીકળતા પહેલા યાત્રીઓને પોતનું સેમ્પલ નિર્ધારિત ક્ષેત્ર પર આપવુ પડશે.
-રિપોર્ટ નેગેટિવ હોવા પર તેમને 14 દિવસ સુધી સ્વાસ્થ્યની જાતે મોનિટરિંગ કરવાની સલાહ આપવામાં આવશે.
-જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને માનક સ્વાસ્થ્ય પ્રોટોકોલ મુજબ સારવાર કરાવવી પડશે.
-યાત્રા શરુ કરતા પહેલા દરેક યાત્રીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે.
-વિમાનમાં યાત્રા દરમિયાન મુસાફરોને ફિઝિકલ ડિસ્ટન્સ રાખવની અપેક્ષા રાખવામાં આવશે.
ફરી કોરોનાનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો
નવા નિયમો બાદ ભારતમાં વધી રહેલા કોરોનાનાં કેસને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. થોડા સમયથી ભારતમાં કોરોનાનાં કેસોમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે.