દેશમાં 15 શહેરો માટે આવતીકાલથી શરુ થશે સ્પેશ્યિલ ટ્રેન. આ તમામ ટ્રેન માટે આજ સાંજથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે. ટ્રેનમાં મુસાફરી ભાડું સુપર ફાસ્ટ ટ્રેનના ભાડા અનુસાર રહેશે. આ ટ્રેન અમદાવાદથી નવી દિલ્હી વાયા પાલનપુર, આબુરોડ, જયપુર થઈને જશે. અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે.
આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે.
દેશમાં આવતીકાલથી શરૂ થશે 15 સ્પેશ્યિલ ટ્રેન
અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન આ સ્ટેશનો પર પણ રોકાશે
આ સમયે અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી અમદાવદ વચ્ચે ચાલશે ટ્રેન
અમદાવાદથી નવી દિલ્હી વાયા પાલનપુર, આબુરોડ, જયપુર થઈને જશે. અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે. આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે. અમદાવાદથી દિલ્હી જતી વખતે સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી કનોટ એમ આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે.
મહત્વનું છે કે ગઈ કાલે રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે પેસેન્જર ટ્રેન સેવા 12 મેથી શરૂ કરશે જેમાં શરૂઆતમાં માત્ર 15 ટ્રેન (30 રિટર્ન પ્રવાસ) ચાલુ કરાશે.અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે. આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે.
આ 15 ટ્રેન સર્વિસ આવતીકાલથી થશે શરૂ
12 મેથી નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે. એટલે કે કુલ 15 ટ્રેનો 30 રિટર્ન સર્વિસ સાથે શરૂ કરાશે. અહીં ખાસ કરીને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હીના મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યાં છે.
રાજધાની ટ્રેન જેટલું હશે ભાડું
આ તમામ પેસેન્જર ટ્રેન AC કોચ ધરાવતી હશે અને મર્યાદિત મુસાફરો સાથે દોડશે. ટ્રેનનું ભાડું આશરે રાજધાની ટ્રેનના ભાડાં જેટલું હશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે અમુક નક્કી કરાયેલા સ્ટેશનો પર જ આ ટ્રેનો રોકાશે. આ ઉપરાંત રેલ્વે પ્લેટફોર્મ પર ટિકિટ નહીં મળે અને તમામ ટિકિટ વિન્ડો બંધ રહેશે. એટલે કે માત્ર IRCTCની વેબસાઈટ દ્વારા જ ઑનલાઈન ટિકિટ જ બુકિંગ કરી શકાશે.
આ શરતોનું કરવું પડશે પાલન
તમામ પેસેન્જર્સ પોતાના મોઢા માસ્કથી કવર કરવા પડશે તેમ જ સ્ટેશનથી તમામનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જે લોકોમાં લક્ષણો નહીં હોય તેવા મુસાફરોને જ ટ્રેનમાં મુસાફરી કરવા દેવામાં આવશે. આ ટ્રેનોના શિડ્યુલ વિશે અલગથી માહિતી આપવામાં આવશે તેમ રેલ્વે મંત્રાલય દ્વારા જણાવાયું હતું.