દેશભરમાં લૉકડાઉન છે અને 17 મે સુધી રહેવાનું છે ત્યારે તેની પહેલાં દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. રેલ્વે મંત્રાલયે લૉકડાઉન પૂર્ણ થાય તે પહેલાં જ પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 12મેથી નવી દિલ્હીથી 15 સ્પેશ્યલ ટ્રેન મુસાફરો માટે ખાસ દોડાવવાનો નિર્ણય લીધો છે.
રેલ્વે મંત્રાલય દ્વારા આજે પેસેન્જર્સ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે એક રાહતના સમાચાર છે. તેમ જ 17 મે બાદ લૉકડાઉન ખુલવાના પણ સંકેત મળી રહ્યાં છે.
રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે પેસેન્જર ટ્રેન સેવા 12 મેથી શરૂ કરશે જેમાં શરૂઆતમાં માત્ર 15 ટ્રેન (30 રિટર્ન પ્રવાસ) ચાલુ કરાશે.
12 મેથી નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિંકદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધી એમ 15 ટ્રેન સર્વિસ શરૂ થશે. એટલે કે કુલ 15 ટ્રેનો 30 રિટર્ન સર્વિસ સાથે શરૂ કરાશે. અહીં ખાસ કરીને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હીના મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યાં છે.
આ ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડાવાશે. જેનું બુકિંગ 11 મેના રોજ 4 વાગ્યાથી શરૂ કરાશે જે IRCTCની વેબસાઈટ પરથી બુક કરી શકાશે.
JUST IN | ભારતીય રેલ્વે પેસેન્જર ટ્રેન સેવા 12 મેથી શરૂ કરશે જેમાં શરૂઆતમાં માત્ર 15 ટ્રેન (30 રિટર્ન પ્રવાસ) ચાલુ કરાશે : રેલ્વે મંત્રાલય#IndianRailway#Lockdown3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2020
રાજધાની ટ્રેન જેટલું હશે ભાડું
આ તમામ પેસેન્જર ટ્રેન AC કોચ ધરાવતી હશે અને મર્યાદિત મુસાફરો સાથે દોડશે. ટ્રેનનું ભાડું આશરે રાજધાની ટ્રેનના ભાડાં જેટલું હશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે અમુક નક્કી કરાયેલા સ્ટેશનો પર જ આ ટ્રેનો રોકાશે. આ ઉપરાંત રેલ્વે પ્લેટફોર્મ પર ટિકિટ નહીં મળે અને તમામ ટિકિટ વિન્ડો બંધ રહેશે. એટલે કે માત્ર IRCTCની વેબસાઈટ દ્વારા જ ઑનલાઈન ટિકિટ જ બુકિંગ કરી શકાશે.
All passenger trains will be run with AC coaches only and with limited stoppages. The fare will be equivalent to the ticket fare that is charged for Rajdhani Train: Ministry of Railways
તમામ પેસેન્જર્સ પોતાના મોઢા માસ્કથી કવર કરવા પડશે તેમ જ સ્ટેશનથી તમામનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જે લોકોમાં લક્ષણો નહીં હોય તેવા મુસાફરોને જ ટ્રેનમાં મુસાફરી કરવા દેવામાં આવશે. આ ટ્રેનોના શિડ્યુલ વિશે અલગથી માહિતી આપવામાં આવશે તેમ રેલ્વે મંત્રાલય દ્વારા જણાવાયું હતું.