બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચાંદલોડિયા રેલવે સ્ટેશને નમો ભારત ટ્રેનમાં લાશ! મોતના કારણે કંપાવી દીધાં, જાણો કિસ્સો

અમદાવાદ / ચાંદલોડિયા રેલવે સ્ટેશને નમો ભારત ટ્રેનમાં લાશ! મોતના કારણે કંપાવી દીધાં, જાણો કિસ્સો

Last Updated: 08:25 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ભુજ વચ્ચે દોડતી નમો ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 50 વર્ષીય મુસાફરને હાર્ટ એટેક તેનું મોત થયું હતું.

અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશને અમદાવાદ-ભુજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 50 વર્ષની વ્યક્તિની લાશ પડી હતી. આ શખ્સનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરને ટ્રેનમાં હૃદયરોગનો હુમલો આવ્યો.

ચાંદલોડિયા સ્ટેશન નજીક શું બન્યું?

ચાંદલોડિયા સ્ટેશન નજીક રેલવે કર્મચારી રાજેશ નાયરે આ શખ્સને અસહજ હાલતમાં જોયો હતો જે કોચ નંબર C8 ની છઠ્ઠી હરોળમાં બેઠો હતો. નાયરને હાર્ટ એટેકના લક્ષણો દેખાતા તરત જ સ્ટેશન અધિકારીઓને જાણ કરી. સ્ટેશન અધિકારીઓએ ઇમરજન્સી સર્વિસ (૧૦૮) ને ફોન કર્યો, અને મુસાફરને ટ્રેનમાંથી બહાર કાઢીને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. 12 મિનિટના વિલંબ બાદ ટ્રેન ફરી શરૂ થઈ.

હોસ્પિટલમાં પહોંચતાં પહેલા મોત

ઈમરજન્સી મેડિકલ સ્ટાફે કહ્યું કે દર્દીના અંગો કામ કરતા નહોતા. એમ્બ્યુલન્સમાં તાત્કાલિક તબીબી સહાય મળવા છતાં, દર્દીને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં વધારો

તાજેતરમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં વધારો થયો છે. હવે ગમે ત્યારે અને ગમે ત્યાં અને ગમે તે ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Abad Bhuj Vande Bharat Abad Bhuj Vande Bharat Express ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ