અજય માકને આપેલ ઇંટરવ્યૂમાં કહ્યું છે કે ભલે સચિન પાર્ટી માટે એસેટ હોય, પણ પાર્ટી ક્યારેય કોઇની આશાઓ પર નિર્ણય નથી લેતી
તેમણે આપેલી સલાહ અને બનાવેલી કમિટી મુજબ કામ જ નથી થયું
તેઓ રાજસ્થાનમાં રાજનીતિને કઇંક આ રીતે જોવે છે
પણ ગહલોત સરકાર સાથેના મતભેદથી પાર્ટી પર શું શું અસર થાય
તેમણે આપેલી સલાહ અને બનાવેલી કમિટી મુજબ કામ જ નથી થયું
રાજસ્થાનમાં કોંગ્રેસની રાજનીતિમાં અંદરો અંદર જ બદલાવ આવતા રહે છે.. ગયા વર્ષે સચિન પાયલટે જ્યારે પાર્ટીમાં પાછા આવવાનો નિર્ણય લીધો ત્યારે તેમને આશા હતી કે તેમના વિશ્વાસપાત્ર ધારાસભ્યોનું પણ બરોબર સન્માન રહેશે પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું. ગયા મહિને સચિને કહ્યું કે "ઘણા સમય પહેલા એક કમિટી બની હતી, પણ હવે મને વધુ વિશ્વાસ નથી રહ્યો. જે ચર્ચાઓ થઈ હતી, જે મુદ્દાઓ પર બધા એકમત હતા, તે બધા પર ઝડપથી કામ થવું જોઈએ. પણ એવું થયું જ નહીં"
તેઓ રાજસ્થાનમાં રાજનીતિને કઇંક આ રીતે જોવે છે
તેમનું કહેવું છે કે રાજસ્થાનમાં લોકો કોંગ્રેસ સાથે જ છે. કારણકે થોડા સમય પહેલા વિધાનસભાની ત્રણ સીટો માટે પેટા ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસને 51 ટકા મત મળ્યા. જે કોંગ્રેસ માટે રેકોર્ડ બ્રેક કહી શકાય. ત્રણ માંથી બે સીટો અમે જીત્યા અને એક સીટ અમે હાર્યા. અમે જે સીટ હાર્યા છીએ તે સીટ પર અમે ક્યારેય જીત્યા જ નથી. સામન્ય ચૂંટણીમાં અમે તે સીટ પર 25 હજાર મતથી હારીએ છીએ પણ પેટા ચૂંટણીમાં 5000 મતથી હાર્યા. આનો શ્રેય અમે ગહલોત સરકારના કામ અને તેમના સંગઠનને જાય છે.
પણ ગહલોત સરકાર સાથેના મતભેદથી પાર્ટી પર શું શું અસર થાય
પેટા ચૂંટણીમાં જીત્યા બાદ લોકોને ગહલોત સરકારનું કામકાજ ગમ્યું છે એ નક્કી છે. પણ પાર્ટી પર પડતી અસરની વાત કરીએ તો 2018ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં 10 ટકા અને 2019ની લોકસભાની તુલનામાં 23 ટકા વધુ મતો મળ્યા છે. પણ રાજસ્થાનમાં કમિટી બની ત્યારે તેમના સિનિયર નેતા અહમદ પટેલ હતા પણ તે બીમાર પડ્યા અને પછી સ્વર્ગસ્થ થયા. એટલે કમિટી વધુ કામ ના કરી શકી, ત્યારપછી કોરોનાની બીજી લહેર આવી. આ બધા કારણોને લીધે ઘણા મોટા નિર્ણયો નથી લેવાયા.