લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે VTV દ્વારા 'લોકતંત્રની મહાપરિષદ' મથાળાં હેઠળ ખાસ ચર્ચાનું આયોજન કરવામાં આવેલ. જેમાં દિવસ દરમિયાન વિવિધ વિષયો પર મહામંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં બપોર બાદ 'પક્ષ જાય પણ પદ ન જાય' વિષય પર સંવાદ યોજાયો હતો