ભારતીય વાયુસેનાના ગુમ થયેલા વિમાન IAF AN-32નો કાટમાળ મળી આવ્યો છે. વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશના લીપોના ઉત્તરી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ વિમાન 3 જૂનના રોજ જોરહાટ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ સંપર્ક વિહોણું બન્યું હતું. જેમાં 13 લોકો સવાર હતા. ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરે આ કાટમાળ શોધી કાઢ્યો હતો. IAF AN-32 સાથે છેલ્લી વખત સંપર્ક 3 જૂનના રોજ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના અધિકારીઓ દ્વારા IAF AN-32 ના કાટમાળ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સિવાય વધારાની કોઇ જ જાણકારી વાયુસેનાના અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી નહોતી.
Parts of aircraft believed to be that of IAF AN-32 that went missing after taking off from Jorhat airways on June 3 has been found north of Lipo in Arunachal Pradesh. Details being verified. AN-32 with 13 ppl onboard last contacted ground sources from Arunachal Pradesh on Jun 3 pic.twitter.com/5125Ljhhbh
વિમાન અંગેની જાણકારી આપનારને 5 લાખ આપવાની કરાઇ હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, લાપતા થયેલા વિમાન AN 32 એ અસમના જોરહાટ માટે અરૂણાચલ પ્રદેશના શિ યોમી જિલ્લાના મેચુકા એડવાન્સ્ડ ગ્રાઉન્ડથી ઉડાન ભરી હતી. વાયુસેનાનું વિમાન AN 32 છેલ્લા છ દિવસથી લાપત્તા છે. ત્યારે વાયુસેના લાપતા વિમાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. જો કે હજુ સુધી વિમાન ન મળતા વાયુસેનાએ ઈનામની જાહેરાત કરી છે.
Indian Air Force: The wreckage of the missing AN-32 was spotted today 16 Kms North of Lipo, North East of Tato, at an approximate elevation of 12000 ft, by the IAF Mi-17 Helicopter undertaking search in the expanded search zone pic.twitter.com/oYzPheEYIl
વાયુસેનાએ લાપતા વિમાનની માહિતી આપનારાને રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે. ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે કહ્યું કે, એર માર્શલ આર ડી માથુર, AOC ઈન કમાન્ડ, ઈસ્ટર્ન એર કમાન્ડે રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે.
લાપતા વિમાન AN 32ની માહિતી આપનારા વ્યક્તિ કે સમુદાયને આ ઈનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાલકદળના 8 અને 5 યાત્રીઓ સહિત કુલ 13 લોકો વિમાનમાં સવાર હતા. હજુ પણ લાપતા વિમાનને શોધવા સતત પ્રયાસ ચાલુ છે.
શું છે IAF AN-32ની ખાસિયત
જો વાત કરવામાં આવે AN-32ની તો, તેનું આખુ નામ Antonov-32 છે. આ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં 2 એન્જિન લાગેલ હોય છે. આ વિમાન 55C થી વધુ તાપમાનમાં ટેક ઓફ કરી શકે છે અને 14, 800 ફૂટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં સક્ષમ હોય છે. આ વિમાનમાં પાયલટ, કો-પાયલટ, ગનર, નેવિગેટર અને એન્જિનીયર સહિત 5 ક્રુ મેમ્બર હોય છે. તેમા વધુમાં વધુ 50 લોકો મુસાફરી કરી શકે છે.