ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે જો આ દેશ એક હોત તો તાકાતવર પણ હોત,અને કોઈ મુશ્કેલીઓ ન ઊભી થઈ હોત, આ સાથે તેમણે કહ્યું કે ભારતનું વિભાજન એક મોટી ઐતિહાસિક ભૂલ હતી.
વડાપ્રધાન મોદી કોઈ એક ધર્મના નથી પૂરા ભારતના છે
તેમણે અન્ય ધર્મો પર પણ ધ્યાન આપવું જોઈએ
ભારતનું વિભાજન એક બહુ મોટી એતિહાસીક ભૂલ હતી
वो धर्म की सेवा कर रहे हैं ये अच्छी बात है लेकिन उन्हें दूसरे धर्मों को भी तवज्जो देना चाहिए। क्योंकि वो सिर्फ एक धर्म के प्रधानमंत्री नहीं है पूरे देश के है और भारत में बहुत सारे धर्म है: श्री काशी विश्वनाथ धाम के उद्घाटन पर नेशनल कॉन्फ्रेंस के अध्यक्ष फ़ारुख़ अब्दुल्ला pic.twitter.com/WfwQFPQS9G
કાશી વિશ્વનાથ મંદિરના પુનઃ નિર્માણ અને વારાણસીમાં આયોજિત ભવ્ય કાર્યક્રમ પર મીડિયા સાથે વાત કરતા નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે પીએમ મોદીને અભિનંદન આપતાં કહ્યું કે,આ સારી વાત છે. જો કે વડાપ્રધાન મોદીએ અન્ય ધર્મો પર પણ ધ્યાન આપવું જોઈએ કારણ કે તેઓ માત્ર એક ધર્મના નહીં પરંતુ સમગ્ર ભારતના વડાપ્રધાન છે. ભારતમાં ઘણા ધર્મો છે.
કોઈ ધર્મ ખરાબ નથી, માણસો ખરાબ હોય છે- ફારૂક અબ્દુલ્લા
હિંદુત્વ અને હિંદુત્વ પર રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે કોઈ ધર્મ ખરાબ નથી, માણસો ખરાબ છે. તેમણે કહ્યું કે તેઓ આશા રાખશે કે હિંદુઓ સાચા હિંદુ બને અને તેમના ધર્મનું પાલન કરે.ફારૂક અબ્દુલ્લાએ ભારતના ભાગલાને એક મોટી ઐતિહાસિક ભૂલ ગણાવી છે. અને દાવો કર્યો છે કે તેનું નુકસાન માત્ર કાશ્મીરીઓએ જ નહીં પરંતુ સમગ્ર દેશના મુસ્લિમોએ ભોગવ્યું છે. ભારતના વિભાજનને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદનને સમર્થન આપતા નેશનલ કોન્ફરન્સના પ્રમુખે કહ્યું કે ભારતનું વિભાજન એક મોટી ઐતિહાસિક ભૂલ હતી. તેનું નુકસાન માત્ર કાશ્મીરીઓએ જ નહીં પરંતુ સમગ્ર દેશના મુસ્લિમોએ ભોગવવું પડ્યું હતું. તેમણે કહ્યું કે જો આ દેશ એક હોત તો તાકાતવર પણ હોત, અને કોઈ મુશ્કેલીઓ ન ઊભી થઈ હોત સાથે દેશમાં ભાઈચારો હોત.