દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને પીએમ મોદીએ યાદ કર્યા હતા. પીએમ મોદીએ આ તેને ઈતિહાસનો દર્દનાક ભાગ ગણાવ્યો હતો.
આજના દિવસને પીએમ મોદીએ વિભાજન વિભીષિકા દિવસ ગણાવ્યો
દેશના ભાગલા વખતે જે લોકોએ જીવ ગુમાવ્યા તેમને યાદ કર્યા
આ કાળના દરમિયાન પીડિત લોકોને પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી
ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. તો વળી દેશના ભાગલાનું દર્દ ભૂલાવું અઘરુ છે. આ દર્દ લોકોના દિલમાં આજે પણ ધરોબાયેલુ છે. દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને પીએમ મોદીએ યાદ કર્યા હતા. પીએમ મોદીએ આ તેને ઈતિહાસનો દર્દનાક ભાગ ગણાવ્યો હતો. પીએમ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે વિભાજનના સમયે પીડિત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પીડિત પરિવારોના ધૈર્યની પણ સરાહના કરી હતી.
14 ઓગસ્ટ 1947ની તારીખને ભૂલી શકાય નહીં, એક બાજૂ સૈંકડો લોકોને ગુલામી બાદ આઝાદી મળવાની હતી, તો બીજી તરફ દેશના બે ભાગલા થઈ રહ્યા હતા. 4
Today, on #PartitionHorrorsRemembranceDay, I pay homage to all those who lost their lives during Partition , and applaud the resilience as well as grit of all those who suffered during that tragic period of our history.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું એ તમામને શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે વિભાજન દરમિયાન પોતાનો જીવ ખોયો છે અને આપણા ઈતિહાસના એ દુખદ કાળમાં પીડિત તમામ લોકોના ધૈર્યની સરાહના કરુ છું. અહીં ઉલ્લેખનિય છે કે, દેશના ભાગલા એ કોઈ વિભીષિકાથી જરાંયે ઓછુ નહોતું. કેટલાય પરિવારો વિખૂટા પડ્યા સૈંકડો લોકોએ જીવ ખોયા. આ ભાગલાનું દુ:ખ લોકોએ વેઠવું પડી રહ્યું છે.
દેશના ભાગલાનું દુ:ખ
દેશના ભાગલાનું દુ:ખ યાદ કરતા ગત વર્ષે આઝાદીની વર્ષગાંઠ પહેલા પીએમ મોદીએ 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવાનો નિર્ણય કર્યો હતો. પ્રધાનમંત્રીએ ગત વર્ષે આ સ્મૃતિ દિવસની શરુઆત દરમિયાન કહ્યું હતું કે, દેશના ભાગલાનું દુખને ક્યારેય ભૂલી શકાય નહીં. હિંસા અને નફરતના કારણે સેંકડો પરિવારો વિસ્થાપિત થયા અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા.