મોદી સરકારના મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત-પાકિસ્તાનના ભાગલાની સાથે સાથે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અંગે વાત કરી. તેઓએ ભાગલાને માટે આર્ટિકલ 370ને જવાબદાર ઠેરવ્યો. તેઓએ એમ પણ કહ્યું કે ભાગલાના કારણે જ જમ્મૂ કશ્મીરની સ્થિતિ ખરાબ થઈ છે.
કાશ્મીરને લઈને કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહનું મોટું નિવેદન
મંત્રી જિતેન્દ્ર સિંહે ભારત-પાકિસ્તાનના ભાગલાને મોટી ભૂલ ગણાવી
કેટલાક લોકોની મહત્વાકાંક્ષાના પરિણામે ભાગલા થયાઃ જિતેન્દ્ર સિંહ
બાંગ્લાદેશ બનતાની સાથે જ બે રાષ્ટ્રની નીતિ નિષ્ફળ સાબિત થઈઃ જિતેન્દ્ર સિંહ
ભારત -પાકિસ્તાનના સંબધોમાં ચાલી રહેલી ખટાશની વચ્ચે મોદી સરકારના મંત્રીએ ભાગલાને આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ ગણાવી. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આ વાત કહી. પોતાના ભાષણમાં જિતેન્દ્ર સિંહે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે ભાગલા ન થતા તો આર્ટિકલ 370 હટાવવાની જરૂર જ ન પડતી. સિંહે ભાગલાને કેટલાક લોકોની મહાત્વાકાંક્ષાનું પરિણામ બતાવ્યું છે.
જિતેન્દ્રસિંહે આ વાત રાજધાની દિલ્હીમાં થયેલા એક કાર્યક્રમમાં કહી. જિતેન્દ્ર સિંહે થોડા દિવસ પહેલાં પણ આર્ટિકલ 370 હટાવવાની વાતને સરકારની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી અને કહ્યું હતું કે પીઓકે અમારું જ થશે. જ્યારે હાલમાં તેઓએ કહ્યું કે આધુનિક ભારતમાં ભાગલા સૌથી મોટી ભીલ હતી. ગાંધીજીએ કહ્યું કે જો ભાગલા થયા તો મારી લાશ પરથી પસાર થવું પડશે. તેઓ દુઃખી હતા અને પહેલા સ્વતંત્રતા દિવસે બંગાળ જતા રહ્યા હતા.
સિંહે વધુમાં કહ્યું કે ભાગલા કેટલાક લોકોની મહાત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યા હતા. નહીં તો કાશ્મીરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ન થતું. ત્યારે ન તો આર્ટિકલ 370 હોત અને ન તેને હટાવવો પડત.
ફેલ થયો દ્વિ રાષ્ટ્રનો સિદ્ધાંત
રાજ્યમંત્રીએ બાંગ્લાદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે ઈતિહાસની એક ઘટનાના કારણે અમે કેટલા આગળ અને પાછળ ગયા? બાંગ્લાદેશ બનવાની સાથે જ દ્વિ રાષ્ટ્રના સિદ્ધાંતનો અર્થ જ ખતમ થઈ ગયો.