ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને બધી પાર્ટીઓ એક્ટિવ જોવા મળી રહી છે. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને પાર્ટીઓ સક્રીય
સપા આમ આદમી પાર્ટી સાથે કરશે ગઠબંધન
સંજય સિંહ અને અખિલેશ યાદવ વચ્ચે એક કલાક લાંબી મુલાકાત ચાલી
ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને મોટાભાગની પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખીલેશ યાદ પણ આ વખતે નાની પાર્ટીઓ સાથે ગઠબંઘન કરવાના છે. ગઈકાલે તેમણે પશ્ચિમ યૂપીના જાટ સમુદાય સાથે પ્રભાવ રાખનારી પાર્ટી RJDના પ્રમુખ જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી.
સપા આમ આદમી પાર્ટી સાથે કરી શકે છે ગઠબંધન
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સપા આગામી ચુટણીને લઈને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધ કરી શકે છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે લખનૌંમાં સપા પ્રમુખ સાથે મુલાકાત લીધી હતી. સંજય સિંહ અગાઉ પણ અખિલેશ યાદવ સાથે મુલાકાત લઈ ચુક્યા હતા. ત્યારે એવી ધારણા લગાવામાં આવી રહી છે. કે યુપીમાં ચૂંટણીને લઈને તે બંન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.
ગઠબંધનની ચોક્કસ માહિતી હજુ સામે નથી આવી
બંનેની મુલાકા એક કલાક લાંબી ચાલી હતી. જેમા ઉત્તરપ્રદેશને ભાજપ મુક્ત કરવા માટે અખિલેશ યાદવ સાથે રણનૈતિક ચર્ચા કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે હજુ સુધી ગઠબંધનને લઈને ચોક્કસ માહિતી સામે નથી આવી. સાથેજ સીોને લઈને તો હજું સુધી કોઈ વાત કરાવામાં નથી આવી.
કૃષ્ણા પટેલે કરી મોટી વાત
જોકે કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પેટલના માતા કૃષ્ણા પટેલે કહ્યું કે તેમણે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદ સાથે મુલાકાત કરી અને તેમનું ગઠબંધન થઈ ગયું છે. વધુમાં તેમણે કહ્યું કે અમે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે ગઠબંધન કરી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું જલ્દીથી અમે સંયુક્ત મંચ ઉપર પર જોવા મળીશું.
RLDને 35 સીટો આપવામાં આવી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અખિલેશ યાદવની મુલાકાત RLD ચીફ જયંત ચૌધરી સાથે થઈ હતી. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે બંન્ને પાર્ટીઓ વચ્ચે સીટોની વહેચણી પણ નક્કી થઈ ગઈ છે. જેમા RLDદ્વારા 50 સીટોની ડિમાન્ડ રાખવામાં આવી હતી. પરંતું સમાજવાદી પાર્ટી દ્વારા 35 સીટો આપવામાં આવી છે.