અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી હતી, જે આજે સવારેથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ગરમીમાં મહદઅંશે રાહત થઈ હતી.
અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતવરણમાં પલટો
વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડક પ્રસરી
માવઠું થાય તો પાકને નુકસાન થઈ શકે છે
અમદાવાદમાં મોસમનો બદલાયો મિજાજ
અમદાવાદના બુધવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને શહેરીજનોને ડબલ ઋતુનો અનુભવ થયો હતો. મહત્વનું છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે બુધવારે એકાએક વાતાવરણ બદલાયું હતું.આમ વાદળછાયા વાતાવરણના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આમ વહેલી સવારેથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ગરમીમાં મહદઅંશે રાહત થઈ હતી.
રવિ પાકની લણણી સમયે જ બદલાયું વાતાવરણ
અમદાવાદ ઉપરાંત અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો વળી બીજી તરફ ખેડૂતોમાં માવઠાની ચિંતા સેવાઈ રહી છે. મહત્વનું છે કે, ખેતરમાં ઘઉ, ચણા જેવા પાક તૈયાર થઈ ગયા છે. ત્યારે રવિ પાકની લણણીના સમયે જ વાતાવરણ બદલાયું છે. આ જો માવઠું થાય તો પાકને નુકસાન થઈ શકે છે