ધોનીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ થતાં જ ઘણા બધા ક્રિકેટર્સનું કરિયર ખતમ થઈ ગયું હતું.
ધોની પર લગાવ્યો મોટો આક્ષેપ
ધોનીના આવવાથી મારુ પત્તું કપાઈ ગયું
ધોનીનું ભારતીય ક્રિકેટમાં યોગદાન અવિશ્વસનિય
ધોનીએ ભારતને ICCની 3 મેજર ટ્રોફી જીતાડી છે
ભારત જેવા દેશમાં ક્રિકેટર્સ માટે આંતરરાષ્ટ્રીય લેવલ પર ડેબ્યૂ કરવું ખૂબ જ અઘરું છે. ભારતની વસ્તી અને ક્રિકેટમાં સ્પર્ધા એટલી બધી છે કે, મોટા ભાગના ખેલાડીઓ તેમનો સંપૂર્ણ જીવનકાળ ઘરેલુ ક્રિકેટ રમવામાં જ પસાર કરી દે છે તે છતાં પણ તેમને ભારત માટે રમવાની તક મળી શકતી નથી. ભારતીય ક્રિકેટમાં ધોનીનું યોગદાન અવિશ્વસનિય છે. ધોની ભારતના એકમાત્ર કેપ્ટન છે કે જેણે ભારતને ICCની 3 મેજર ટ્રોફી જીતાડી છે.
પાર્થિવે માત્ર 7 વર્ષની વયે પોતાનો પોતાનો ડેબ્યૂ કર્યુ હતું
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ધોની પર ખૂબ જ મોટો આક્ષેપ લગાવ્યો છે. પાર્થિવે કહ્યું કે, "ધોનીના ટીમમાં આવાથી મને ટીમ માટે રમવાની વધુ તક નહોતી મળી અને ધીરે ધીરે ધોનીએ મારી જગ્યા પચાવી પાડી હતી."2002માં પાર્થિવે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં માત્ર 17 વર્ષની વયે પોતાનો પોતાનો ડેબ્યૂ કર્યુ હતુ.
મળેલી તકોનો હું યોગ્ય ફાયદો ન ઉઠાવી શક્યો
ધોનીના ટીમમાં આવવાથી પાર્થિવને ટીમમાંથી ખસેડી દેવામાં આવ્યો અને પાર્થિવ પટેલ ભારત માટે ફક્ત 25 ટેસ્ટ, 38 વન-ડે અને 2 TI20જ રમી શક્યો. પાર્થિવે વધુમાં એવું પણ કહ્યું કે, "મને ટીમમાંથી એટલા માટે ખસેડી દેવામાં આવ્યો કારણ કે, મને મળેલી તકોનો હું યોગ્ય ફાયદો ન ઉઠાવી શક્યો." પાર્થિવે પોતાના વન-ડે કરિયરમાં 23.74ની એવરેજથી 736 રન બનાવ્યા છે.
કોઈપણ ખેલાડીનું પોતાના દેશ માટે રમવું એક સ્વપ્ન હોય છે
તાજેતરમાં જ થયેલા ઇન્ટરવ્યૂમાં પાર્થિવે કહ્યું કે,"મને નથી લાગતું કે હું કમનસીબ હતો. મને ધોનીની પહેલા ટીમમાં જગ્યા મળી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલ પર જે રીતના પ્રદર્શન કરવું જોઈએ તે રીતનું મારુ પ્રદર્શન નહોતું અને ત્યારબાદ ધોનીના આવવાથી મને તક મળવાની બંધ થઈ ગઈ હતી. પાર્થિવે વધુમાં કહ્યું કે," હું નથી માનતો કે મને વધુ તકો નથી મળી. કોઈપણ ખેલાડીનું પોતાના દેશ માટે રમવું એક સ્વપ્ન હોય છે અને મને 19 ટેસ્ટ મેચમાં ભારત માટે રમવા મળ્યું અને હું માનું છું કે, મને આપવામાં આવેલી તકોનો હું ફાયદો ન ઉઠાવી શક્યો.