હાર્દિક પટેલના આમરાંણ ઉપવાસ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી મળવાનો સમય માગ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીને લખેલ પત્રમાં ધાનાણીએ લખ્યું કે હાર્દિકના આંદોલનનો સુખદ અંત લાવવો જોઇએ.
આ ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રમાં ખેડૂતોના દેવા માફી અંગે પણ અનુરોધ કર્યો હતો. તો આ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલે વિપક્ષનો ઉધળો લીધો હતો. તેઓએ કહ્યું કે અનામત મુદ્દે કોંગ્રેસ એક શબ્દ બોલી નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ રાજ્યની જનતાને જણાવે કે કેવી રીતે તેઓ પાટીદારોને અનામત આપશે. કોંગ્રેસ પોતાની બેવડી નીતિ સ્પષ્ટ કરે અને ખેડૂતો અને અનામત મુદ્દે રાજનીતિ બંધ કરે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા માફીને લઇને છેલ્લા 12 દિવસથી ઉરવાસ પર છે.