બંગાળ સ્કૂલ ભરતી કૌભાંડના આરોપી પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીને હવે તેમની પાર્ટીએ તમામ હોદ્દા પરથી હટાવવાની જાહેરાત કરી છે.
બંગાળના પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની સામે કાર્યવાહી
TMCએ તમામ હોદ્દા પરથી હટાવ્યાં
પહેલા સીએમ મમતા મંત્રી પદેથી હટાવી ચૂક્યા છે
સ્કૂલ ભરતી કૌભાંડમાં પાર્થ ચેટરજી ઈડીની કસ્ટડીમાં છે
બંગાળ સ્કૂલ ભરતી કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટરજીને બેવડો ફટકો પડ્યો છે. પહેલા સીએમ મમતા બેનરજીએ તેમને મંત્રી પદેથી હાંકી કાઢ્યા હતા અને હવે તેમની પાર્ટી ટીએમસીએ પાર્થ ચેટરજીને બહારનો રસ્તો દેખાડી દીધો છે. ટીએમસીએ પાર્થ ચેટરજીને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સહિતના તમામ પદેથી હટાવવાની જાહેરાત કરી દીધી છે.
Partha Chatterjee has been removed from TMC along with the post of General Secretary, National vice president & three other posts. He has been suspended till the investigation is underway. He can come back if proven not guilty: TMC leader Abhishek Banerjee pic.twitter.com/lxadGt5OHN
પાર્થ ચેટરજી ચાર હોદ્દા પરથી દૂર
ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે પાર્ટીએ પાર્થ ચેટરજીને મહાસચિવ, રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ તથા બીજા ત્રણ હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાર્થ ચેટરજી પાર્ટીમાંથી બરખાસ્ત રહેશે. જો તેઓ નિર્દોષ સાબિત થશે તો તેમને પાર્ટીમાં પાછા લેવામાં આવશે.
TMC will not support anyone found involved in corruption: Party MP Abhishek Banerjee
CM took the decision and the (Partha Chatterjee) minister was removed. The probe into the matter is underway. If anyone commits something wrong then TMC won't spare him: TMC leader Abhishek Banerjee pic.twitter.com/KZhPUiUPr3
જે વ્યક્તિના ઘરમાંથી કેસ નીકળી રહી છે તેને ટીએમસી સાથે લેવાદેવા નથી
અભિષેક બેનરજીએ કહ્યું કે સીએમ મમતાએ તેમને મંત્રીપદેથી હટાવ્યાં છે અને આ કેસમાં તપાસ ચાલુ છે અને જો કોઈ ખોટું કરશે તો ટીએમસી તેને ચલાવી નહીં લેય. બેનરજીએ કહ્યું કે જે વ્યક્તિના ઘરમાંથી રોકડ નીકળી રહી છે તે ટીએમસી સાથે કંઈ લેવાદેવા નથી. આ કૌભાંડમાં સંડોવાયેલાની સામે અમે કડક પગલાં ભરીશું. તેમણે કહ્યું કે ટીએમસીએ સાત દિવસની અંદર આ કેસમાં કાર્યવાહી કરી છે. હું માનું છું કે રોકડનો મોટો જથ્થો નીકળ્યો છે પરંતુ દરરોજ બેન્ક ફ્રોડ સામે આવી રહ્યાં છે ત્યારે ભાજપે શું પગલાં લીધા. નીરવ મોદી ભાગી ગયો, શું ભાજપે નિર્મલા સીતારામણને કાઢી મૂક્યા.
સીએમ મમતા બેનરજીએ પાર્થ ચેટરજીને મંત્રી પદેથી પણ હટાવી દીધા છે
પાર્થ ચેટરજીને પહેલો ઝટકો તો ત્યારે લાગ્યો કે જ્યારે સીએમ મમતા બેનરજીએ તેમને મંત્રી પદેથી હટાવવાની જાહેરાત કરી હતી. પાર્થ ચેટરજી મમતા સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા તેની સાથે તેઓ બીજા કેટલાક વિભાગો પણ જોતા હતા.