કસૌટી ઝીંદગીકી 2ના નવા એપિસોડ્સ ફેન્સને એન્ટરટેઇન કરી રહ્યાં છે. શૉના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે, શૉમાં અનુરાગનુ પાત્ર ભજવનાર પાર્થ સમથાને શૉ છોડી દીધો છે કારણકે તે પોતાના બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપવા માગે છે.
પાર્થ સમથાને છોડ્યો શૉ
અનુરાગનો બદલાશે ચહેરો
એકતા કપૂર શોધે છે રિપ્લેસમેન્ટ
પિંકવિલાથી મળતા અહેવાલ મૂજબ પાર્થ પોતાની હેલ્થ અને પ્રોજેક્ટ પર ધ્યાન આપવા માંગે છે, જેના પર તે વધુ વાત કરી રહ્યાં છે. એકતા કપૂર પાર્થને શૉમાં પાછા પરવા માટે મનાવી રહ્યાં છે પરંતુ એક્ટરે શૉમાંથી બહાર રહેવાનો વિકલ્પ જ પસંદ કર્યો છે. ત્યારે પ્રોડક્શને પાર્થને રિપ્લેસ કરવા માટે ઓપ્શન શધવાના પણ શરૂ કરી દીધા છે.
તમને જણાવી દઇએ કે, પાર્થે 12 જુલાઇથી શૉનું શૂટિંગ કરવાનુ બંધ કરી દીધુ હતું. પાર્થનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમણ શૂટિંગ બંધ કરી દીધુ હતું. જ્યારે ક્રુ એન્ડ મેમ્બર સેટ પર આવ્યા ત્યારે દરેક એક્ટરનો કોરોના ટેસ્ટ થયો હતો.
પાર્થે જીતી કોરોના જંગ
26 જુલાઇએ પાર્થે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના ફેન્સને જણાવ્યું હતુ કે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના નેગેટિવ આવ્યો બાદમાં તેમણે શૂટિંગમાંથી એક અઠવાડિયાનો બ્રેક લીધો હતો અને બાદમાં તેમણે આ નિર્ણય લીધો હતો.