દરેકના ફેવરિટ શો કસૌટી જિદગી કી 2 અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈનું શૂટિંગ કોરોનાની મહામારી વચ્ચે હવે શરૂ થયું છે. મહારાષ્ટ્ર સરકારની નવી ગાઈડલાઈનને ફોલો કરવાની સાથે લગભગ અનેક હિદી ટીવી શોનું શૂટિંગ શરૂ થયું છે, હવે કસૌટીનો અનુરાગ એટલે કે એક્ટર પાર્થ સમથાનના સેટ્સના ફોટોઝ સામે આવ્યા છે. દર્શકોનું મનોરંજન કરનારા ટીવી સ્ટાર્સ આ મુશ્કેલીઓ સાથે શૂટિંગ કરી રહ્યા છે.
શરૂ થયું કેટલીક સીરિયલ્સનું શૂટિંગ
ખાસ અંદાજમાં જોવા મળ્યા સ્ટાર્સ અને મેકઅપમેન
મુશ્કેલીઓ વચ્ચે સ્ટાર્સ કરી રહ્યા છે શૂટિંગ
આ ફોટોમાં પાર્થ સમથાન પોતાનો મેકઅપ કરાવી રહ્યા છે અને સેટ્સ પર લોકો સાથે વાત કરી રહયા છે. તેમના મેકઅપ આર્ટિસ્ટે પીપીઈ કિટની મદદથી પોતાને કવર કર્યો છે. અહીં પાર્થે કોઈ માસ્ક પહેર્યું નથી. લૉકડાઉન બાદ આ તેનો પહેલો ફોટો છે. અનુરાગ બાસુના ગેટઅપમાં આવ્યા બાદ તેણે માસ્ક લગાવ્યું હતું. સેટ્સ પર સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
એક્ટર્સની સાથે કામ કરી રહેલા દરેક લોકોએ માસ્ક લગાવ્યા છે. જે લોકો એક્ટર્સની નજીક આવે છે તે દરેકને PPE કીટ પહેરવાનું ફરજિયાત છે. કોરોના વાયરસથી બચવાની સાથે કામ કરવાની આ યોગ્ય રીત અપનાવવામાં આવી છે.
કસૌટી જિંદગી કી 2 સિવાય અન્ય સિરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈનું શૂટિંગ પણ શરૂ થયું છે. એક્ટર્સ મોહસિન ખાન અને શિવાંગી જોશી સેટ્સ પર જોવા મળ્યા હતા. બંને એક ઈમોશનલ સીન કરતા જોવા મળ્યા, શૂટિંગ સમયે જ્યારે મોહસિન અને શિવાંગીએ માસ્ક પહેર્યું નથી જ્યારે સેટ્સ પર ડાયરેક્ટર રાજન સાહી અને અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે વાત કરતા મોહસિન ખાને માસ્ક લગાવ્યું. ઉલ્લેખનીય છે કે શોના સેટ પર સાવધાની રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અલગ અલગ શોના એક્ટર્સ શોટ્સની વચ્ચે માસ્ક લગાવીને એકમેકની સાથે વાત કરી રહ્યા છે અને ટચઅપ કરાવી રહ્યા છે. દરેકને કોરોનાનો ડર સતાવી રહ્યો છે. પરંતુ દર્શકોના મનોરંજન માટે તેઓ કામ કરવા તૈયાર થયા છે.