કેન્દ્ર સરકાર દ્વારા આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જે વિસ્તરણમાં ગુજરાતના 3 જેટલા નેતાઓને પ્રમોશન મલી શકે છે.
પરષોત્તમ રૂપાલાનું મંત્રીમંડળમાં કદ વધશે
કિરીટ સોલંકી અને જુગલ ઠાકોરને પણ પ્રમોશમ મળશે
આગામી ચૂંટણીઓ પર પડશે કેબિનેટ વિસ્તરણની અસર
ગુજરાતના મંત્રી પરષોત્તમ રૂપાલાનું આજે મંત્રીમંડળમાં કદ વધી શકે છે. તે સિવાય પણ અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીનું એમ કુલ 3 નેતાઓનું આજે મંત્રીમંડળમાં કદ વધી શકે છે. મંત્રી મંડળમાં પરષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવી શકે છે. સાથેજ અનુરાગ ઠાકુરને રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર આપવામાં આવશે. આગામી સમયમાં હિમાચલમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુરાગ ઠાકુરને પ્રમોશન આપવામાં આવી શકે છે.
ગુજરાતના આ બે નેતાઓને પણ મંત્રીમંડળમાં પ્રવેશ મળે તેવી ચર્ચા
પીએમ મોદીના બીજા કાર્યકાળનો આ પહેલો મંત્રી પરિષદ વિસ્તાર થવાનો છે. ત્યારે ગુજરાતના 2 નેતાઓના નામ પણ નવા મંત્રી મંડળમાં ચર્ચામાં છે, જેમાં ગુજરાતમાંથી સાંસદ કિરીટ સોલંકી તથા સાંસદ જુગલ ઠાકોરનો સમાવેશ કરવામાં આવી શકે છે. તો સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.
બીજા કાર્યકાળમાં પહેલી વખત કેબિનેટ વિસ્તરણ
આજે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે થશે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમા ગુજરાતના પણ કેટલાક નેતા શામેલ થવાની શક્યતાઓ છે
કેબિનેટ વિસ્તરણની અસર ચૂંટણીઓ પર પડશે
આગામી વર્ષમાં જે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેની અસર પણ આ કેબિનેટ વિસ્તરણમાં પડી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, અજય ભટ્ટ, કપિલ પાટિલ, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, નારાયણ રાણે, મીનાક્ષી લેખી, શોભા કરાંડલજે, અનુપ્રિયા પટેલ, હિના ગાવીત, અજય મિશ્રા PM આવાસ પર પહોંચી ગયા છે.
ઓબીસી વર્ગથી કુલ 24 મંત્રી રહેશે
મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર પછાત વર્ગના કુલ મળીને 24 મંત્રીઓને જગ્યા મળશે. આની પાછળની યોજના નાના સમુદાયોને પ્રતિનિધિત્વ આપવાની છે.