સંસદમાં શિયાળુ સત્ર નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં શરૂ થઇને 25 ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસ સ્થાન પર સંસદીય મામલાની કેબિનેટ કમિટીની બેઠકમાં આ તારીખ પર ચર્ચા થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બે જરૂરી અધ્યાદેશને કાયદા બનાવવાની સરકારની તૈયારી
શિયાળુ સત્ર નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય તેવી શક્યતા
રક્ષામંત્રીના નિવાસ સ્થાન પર સંસદીય મામલાની કેબિનેટ કમિટીની બેઠકમાં થઇ ચર્ચા
જો કે આ તારીખોને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગત બે વર્ષથી શિયાળુ સત્રની શરૂઆત 21 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી અને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં આ સત્રની સમાપ્તિ થઇ હતી. કેન્દ્ર સરકાર આ શિયાળુ સત્રમાં બે જરૂરી અધ્યાદેશને કાયદામાં રૂપાંતરિત કરવામાં માગે છે.
જેમાં એક અધ્યાદેશ જે સપ્ટેમ્બરમાં આયકર અધિનિયમ, 1961 અને નાણા અધિનિયમ, 2019માં સંશોધનમાં પ્રભાવ કરવા માટે જારી કરવામાં આવ્યો હતો. બીજો અધ્યાદેશ પણ સપ્ટેમ્બરમાં જારી કરવામાં આવ્યો હતો જે ઇ-સિગારેટ અને તેના જેવી વસ્તુઓના વેચાણ, નિર્માણ અને રાખવા પર પ્રતિબિંધ સાથે સંબંધિત છે.