સંસદના ચોમાસા સત્રમાં ઘટાડાની સંભાવના વધી છે, કેમ કે 30 સાંસદોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવે તો, 18-દિવસના સત્રમાં એક અઠવાડિયાનો કાપ મુકાઇ શકે છે.
સંસદના ચોમાસા સત્રમાં ઘટાડાની સંભાવના
18-દિવસના સત્રમાં એક અઠવાડિયાનો કાપ મુકાઇ શકે
રોઇટર્સના એક રિપોર્ટમાં શનિવારે સંસદના બે વરિષ્ઠ અધિકારીઓના હવાલાથી આ વાત જણાવવામાં આવી છે. આપને જાણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસથી દેશમાં દરરોજ આશરે એક લાખ કેસ સામે આવી રહ્યા છે.
એક અઠવાડિયાનો કાપ મુકાવાની સંભાવના
આપને જણાવી દઇએ કે, 14 સપ્ટેમ્બરથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું હતું અને 1 ઓક્ટોબર સુધી ચાલવાનું હતું પરંતુ રિપોર્ટ અનુસાર, 18 દિવસમાં સત્રમાં એક અઠવાડિયાનો કાપ મુકાવાની સંભાવના છે.
સરકાર સત્ર ટૂંકાવી લેવાની વિચારણા
બે અધિકારીઓ પૈકીના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે સત્રની શરૂઆતથી પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે, તેથી સરકાર સત્ર ટૂંકાવી લેવાની વિચારણા કરી રહી છે.
પહેલા દિવસે જ 17 સાંસદો આવ્યા કોરોના પોઝિટિવ
સંસદના મોનસૂન સત્રના પહેલા દિવસે સોમવારે કોરોના પરીક્ષણમાં ઓછામાં ઓછા 17 લોકસભાના સાંસદ અને રાજ્યસભાના 9 સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રી સહિત ઓછામાં ઓછા 7 કેન્દ્રીય મંત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતા. અત્યાર સુધીમાં, બે ડઝનથી વધુ સંસદમાં વાયરલ તાવની ઝપેટમાં આવી ચુક્યા છે.
પ્રથમ વખત 95,880 લોકો કોરોના મુક્ત બન્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે 8:00 વાગ્યે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 93,337 નવા કેસો નોંધાયા છે. જેની સાથે જ દેશમાં કોવિડ-19ના કુલ કેસનો આંકડો 53,08,014 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1247 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં થયાં છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 85,619 પહોંચી છે. જો કે, પ્રથમ વખત એવી ઘટના બની છે કે, છેલ્લા 24 કલાકમાં 95,880 લોકો કોરોના મુક્ત બન્યા છે.